SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ ] બીજા વિપનું ખડન [ ધ્વન્યાલેાક ૧૭ જે ફળને ઉદ્દેશીને, મુખ્ય વૃત્તિ છેડીને ગુણવૃત્તિથી અથ પ્રગટ કરવામાં આવે છે, તે ફળને દ્યોતિત કરવાને એ શબ્દ સ્ખલતિ કહેતાં અસમર્થ નથી હાતા. લક્ષણાનું પ્રયાજન ચારુત્વના અતિશયયુક્ત અને પ્રગટ કરવાનું હેાય છે. જો એ પ્રગટ કરવામાં શબ્દ અમુખ્ય ખની જતા હાય, એટલે કે એને અમુખ્યવૃત્તિનેા, લક્ષાવૃત્તિને આશ્રય લેવા પડતા હોય, તેા તે શબ્દના પ્રયોગ જ દોષયુક્ત. ઠરે. પણ એમ નથી હતું. અહીં એમ કહેવામાં આવ્યું છે કે ચારુવયુક્ત અને મેધ કરાવવાનું જે પ્રયેાજન સિદ્ધ કરવા માટે અભિધાવૃત્તિને ત્યાગ કરીને લક્ષણાવૃત્તિને। આશ્રય લેવામાં આવે છે, તે પ્રયેાજન વ્યક્ત કરવાને એ શબ્દસમ હાય છે. તેમ ન હોય તેા એ શબ્દના પ્રયાગ જ દેષરૂપ કરે. પણ તેમ હોતું નથી. આ ભાગ બરાબર સમજવા માટે લક્ષણાની આખી પ્રક્રિયા વિગતે જોઈ જવી પડશે. કાઈ માણસે ગંગાકિનારે ઝૂપડું બાંધ્યું છે. પેાતાના ઝૂપડાને ગંગાની શીતળતા અને પવિત્રતાને પૂરે લાભ મળે છે, એને એણે ખીજા માણસને એધ કરાવવા છે. એ એનું પ્રયેાજન છે. હવે, ગંગાતટ તે ધણા વિશાળ છે અને તેની સાથે શીતળતા કે પવિત્રતા જોડાયેલી નથી. એટલે જો એ એમ કહે કે ‘ ગંગાતટે મારું ઝૂંપડુ છે', તે ગ ંગાની શીતળતા અને પવિત્રતાને ખેાધ કરાવવાનુ એનું પ્રયાજન સિદ્ધ થતું નથી. તેથી એ લક્ષણાને આશ્રય લઈ ‘ ગંગાતટ ’ને બદલે ‘ ગાંગા ' શબ્દનેા ઉપયાગ કરીને એમ કહે છે કે ‘ મારું ઝૂંપડું ગંગા ઉપર આવેલુ છે.' આ થઈ ખેલનારની વાત. હવે, આપણે સાંભળનારની દૃષ્ટિએ એને વિચાર કરીએ. ગંગા ઉપર ઝૂંપડું' છે' એવું વાકય એ સાંભળે છે, ત્યારે પહેલાં તે એને અભિધાવૃત્તિથી એવા અર્થ સમજાય છે કે ‘ ગંગાના જળપ્રવાહ ઉપર ઝૂંપડું છે.’ પણ જળપ્રવાહ ઉપર ઝૂંપડું સંભવતું નથી એટલે એ અર્થ લઈ શકાતા નથી. આમ, મુખ્ય એટલે કે વાચ્ય અર્થ બાધિત થાય છે. તેથી એ ગંગા *
SR No.023111
Book TitleAnandvardhanno Dhvani Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy