SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ ] વ્યંગ્યનું જ પ્રાધાન્ય [ વન્યાલક વ્યંગ્ય (અર્થ) અને વ્યંજક (શબ્દ)ને સારી રીતે ઉપયોગ કરવાથી જ મહાકવિ મહાકવિપદને પામે છે, કેવળ વાયવાચકની રચનાથી પામતો નથી. આ કારિકામાં અને એની વૃત્તિમાં બરાબર ઓળખી લેવા જોઈએ.” એમ કહેવા માટે “પ્રમશેયૌ” એવો શબ્દ વાપરે છે. એ પ્રત્યભિજ્ઞાને સમજાવવા માટે લોચનકાર પોતાના ગુરુ ઉત્પલદેવનો એક શ્લોક ઉતારે છે : तैस्तैरप्युपयाचितैरुपनतस्तन्व्याः स्थितोऽप्यन्तिके कान्तो लोकसमान एवमपरिज्ञातो न रन्तु यथा । लोकस्यैव तथानवेक्षितगुणः स्वात्मापि विश्वेश्वरो नैवालं निजवैभवाय तदियं तत्प्रत्यभिज्ञोदिता ॥ [જે પ્રિયતમને મેળવવા માટે અનેક પ્રકારે પ્રાર્થના કરી હતી, તે આવ્યો છે, પાસે બેઠે છે, પણ નાયિકાને ખબર નથી કે આ તે જ પ્રિયતમ છે, જેને બેલાવવા માટે મેં આટઆટલા પ્રયત્નો કર્યા હતા, એટલે તે એને સામાન્ય માણસ જ સમજે છે અને તેની સાથે રમણ કરતી નથી. તે જ રીતે, વિશ્વેશ્વર, લોકોને આત્મા હોવા છતાં, તે રૂપે તેના ગુણોને જ્યાં સુધી પરિચય ન થાય ત્યાં સુધી તેને વૈભવ અનુભવી શકાતો નથી, માટે તેનો પરિચય કરાવવાનો પ્રયત્ન કર્યો છે. ] | શબ્દોમાં અમુક વિશિષ્ટ અર્થનું સૂચન કરવાની શક્તિ રહેલી હોય છે, અને આપણને તેની જાણ પણ હોય છે, પણ એ તરફ આપણું ખાસ. ધ્યાન ગયું નથી હોતું. એવા શબ્દો શોધી કાઢવા અને તેનો પરિચય કેળવવો એ જ મહાકવિનું કામ છે. કવિની આગળ તેના અંતરના ભાવ વ્યક્ત કરવા માટે એવા શબ્દ આપોઆપ આવે છે, પણ જ્યાં સુધી તે એને એ રીતે બરાબર પિછાનતો નથી, ત્યાં સુધી તેને કાવ્યાનંદ પ્રાપ્ત થતો નથી. અહીં સુધી વ્યંગ્ય અર્થ, તેને બોધ કરાવનાર વ્યંજક શબ્દ અને જે વ્યાપારથી એ બોધ થાય છે તે વ્યંજનાવ્યાપાર, એ ત્રણનું કાવ્યમાં પ્રાધાન્ય છે એમ બતાવ્યું. ૮. એની સામે કોઈ વિરોધી એમ કહી શકે કે તમે વ્યંગ્ય—વ્યંજકનું પ્રાધાન્ય છે, એમ કહે છે, પણ વ્યંગ્યાર્થીની પ્રાપ્તિ તે વાયાર્થ મારફતે
SR No.023111
Book TitleAnandvardhanno Dhvani Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy