SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ ] કાવ્યાના એ અશ [ ધ્વન્યાલાક શકી નહેાતી, તેમ છતાં રામાયણુ મહાભારત જેવાં કાવ્યેામાં સત્ર એના આંખે ચડે એવા ઉપયેાગ થયા છે, એવું જે સહૃદયે જોઈ શકથા છે, તેમના મનને આનંદ થાય એટલા માટે અમે તેનુ સ્વરૂપ (વિગતે) સમજાવીએ છીએ. દરેક ગ્રંથની શરૂઆતમાં તેનાં વિષય, પ્રયેાજન, અધિકારી અને સંબંધને નિર્દેશ કરવામાં આવે છે, તેમ અહીં પણ કર્યો છે. ધ્વનિનું સ્વરૂપ એ આ ગ્રંથના પ્રતિપાદ્ય વિષય છે; ધ્વનિ વિશેના મતભેદેશનું નિરાકરણ કરવું, ધ્વનિના સાચા સ્વરૂપનું નિરૂપણુ કરવું અને અ ંતે સહૃદયેાના મનને આનદ આપવા એ એનું પ્રયાજન છે; ધ્વનિસ્વરૂપના જિજ્ઞાસુ સહૃદયે એના અધિકારી છે; અને શાસ્ત્ર અને વિષયને પ્રતિપાદક–પ્રતિપાદ્ય તથા વક્તા અને શ્રોતાને વ્યુત્પાદક-વ્યુત્પાદ્ય સંબંધ છે. આમાં અધિકારી સહયા છે એમ કહ્યું છે, તેની વ્યાખ્યા લાચનકારે એવી આપી છે કે કાવ્યનું વારેવારે અનુશીલન કરવાને લીધે જેમના મનેામુકુરમાં વનીય વિષયમાં તન્મય થવાની યેાગ્યતા હાય એવા સ્વહૃદય-સંવાદવાળા એટલે કે કવિના હૃદય સાથે પેાતાના હૃદયનું તાદાત્મ્ય સાધી શકે એવા તે સહૃદયે. ૧. આ રીતે ગ્રંથનાં વિષય, પ્રયેાજન, અધિકારી અને સબંધ એ ચાર અનુબંધે! બતાવ્યા પછી જે ધ્વનિની વ્યાખ્યા માંધવાના પ્રારભ કર્યો છે તેની ભૂમિકા રચવા કહે છે કે ર સદાની શ્લાઘાને પામેલા જે અથ કાવ્યના આત્મા મનાચે છે, તેના વાચ્ય અને પ્રતીયમાન એવા બે ભેદ કહેલા છે. આ કારિકા લાગે છે સરળ, પણ એણે ઠીક ઠીક ચર્ચા જગાડેલી છે. પહેલા પ્રશ્ન એ કે તમે ધ્વનિના સ્વરૂપનું નિરૂપણુ કરવાની શરૂઆત કરી છે, તે અહીં વાચ્યને ઉલ્લેખ શા માટે કરા છે ? એને જવાબ લેાચનકાર એવા આપે છે કે આ તેા ધ્વનિના સ્વરૂપના નિરૂપણની ભૂમિકા છે. જેમ પહેલાં પાયેા રચી તેના ઉપર જીંમારત રચાય, તેમ આ ભૂમિકારૂપી પાયા ઉપર ધ્વનિના સ્વરૂપની ઇમારત રચવાની છે. ધ્વનિ એટલે કે પ્રતીયમાન અના પાયામાં પણ વાચ્યા રહેલા છે, એટલે તેના ઉલ્લેખ પહેલા
SR No.023111
Book TitleAnandvardhanno Dhvani Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy