SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદ્યોત ૭–૪૭ ] અતિવ ચનીયતાવાદીએને જવા [ A હેર વનમાં. ભારતી વૃત્તિ બધા પ્રકારના વાચિક અભિનયને કહે છે, એટલે શ્રવ્યકાવ્ય માત્ર ભારતીવૃત્તિમાં સમાઈ જાય છે. આ થઈ વૃત્તિને લાગતી ભરતની વિચારણા. આલંકારિકા અનુપ્રાસને વૃત્તિ કહે છે. અનુપ્રાસ ત્રણ પ્રકારના હોય છે એટલે વૃત્તિઓ પણ ત્રણ છે એમ મનાય છે. ઉપરનાગરિકા, પુરુષા અને કાબલા. આનંદવધન આ બંને પ્રકારની વૃત્તિએથી પરચિત છે. અને તેમણે એમની વ્યવસ્થા અને સમન્વય એ રીતે સાથેા છે કે કુશકી વગેરે વૃત્તિએ અગત છે, અને ઉપનાગરિકા વગેરે વૃત્તએ શબ્દમત છે. આ વૃત્તિએ રસાભિવ્યક્તિમાં અને રસાનુભૂતિમાં સાધનમાત્ર છે. લેાચનકાર કર્યુ છે કે ઉપનારકાને અનગરમાં રહેતી સ્ત્રીનું અનુકરણુકરનારી વૃત્તિ, એટલે કે સુકુમાર વૃત્તિ. એ શૃંગારરસમાં પરિણમે છે. પૃષા એટલે કઠાર. એ રૌદ્ર વગેરે દીપ્ત રસામાં પરિણમે છે, અને કોમલા હાસ્ય વગેરેમાં પરિણમે છે. આ બધુ જોતાં સ્પષ્ટ થાય છે કે રીતિને કાવ્યના આત્મા માનવ મૈગ્ય નથી. એને સમાવેશ ધ્વનિસિદ્ધાંતમાં થઈ જાય છે. અહીં એનુ પ્રતિપાદન એટલા માટે કર્યુ` છે કે કેટલાક ધ્વનિવિરાધી રીતિ અને વૃત્તિમાં ધ્વનિને સમાવેશ થઈ જાય છે, એમ કહે છે, એટલે તેમના મતના વિચાર કરવાની જરૂર હતી. ધ્વન્યાલેકમાં એ મતને અશિક રીતે સ્વીકાર કર્યાં છે અને આંશિક રીતે અસ્વીકાર કર્યાં છે. રીતિ કે વૃત્તિને કાવ્યન આત્મા માનવાને ઈન્કાર કર્યાં છે. એ એક્સંગી દૃષ્ટિ છે; પણ રીતિ અને વૃત્તિ પણ રસાનુકૂલ ટ્રાઈ તે જ કાવ્યમાં સ્થાન પામી શકે છે અને કાવ્યના આત્મા પણ બની શકે છે, એટલે ઉચિત તે એ છે કે ધ્વનિને જ કાવ્યને। આત્મા માનવા આમ, અત્યાર સુધીમાં અસાવાદીઓના બધા વિકલ્પે અને ક્ષક્ષાવાદીએ ના બધા વિપાનું ખંડન કરવામાં આવ્યું, અને એટલું સિદ્ધ કર્યું... કે ધ્વનિને સમાવેશ ગુણ, અલંકાર, રીતિ, વૃત્તિ વગેરે કાઈ તત્ત્વમાં કે લક્ષણામાં પણ થઈ શકે એમ નથી; એ સ્વતંત્ર જ અને કાવ્યમાં પ્રધાન તત્ત્વ છે. હવે મત્ર છેલ્લે અનિચનીયતાવાદીને પક્ષ બાકી રહે છે. તેની ચર્ચા હવે શરૂ કરે છે. અનિવચનીયતાવાદીઓને જવાબ એટલા માટે એ ધ્વનિનું સ્વરૂપ સ્પષ્ટરૂપે નિરૂપવાની જરૂર છે. કેટલાકે જે ધ્વનિનું લક્ષણુ એ રીતે ખર્યું છે કે
SR No.023111
Book TitleAnandvardhanno Dhvani Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy