SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ ] સંકર તથા સંસૃષ્ટિ [ ધ્વન્યા માત્ર છેલા બે જ પ્રકારોનાં ઉદાહરણ આપવામાં આવશે. બાકીનાં ઉદાહરણ તે સમજી લેવાં. સંસૂર અલંકારના વનિ સાથેના સંકરનું ઉદાહરણ – આપના ગાઢ રોમાંચ અનુભવતા શરીર ઉપર રક્તમનવાળી (લોહીતરસી; પ્રેમવાળી) મૃગરાજની વધુએ દાંતથી કરેલા ઘા અને નખથી કરેલી ચીરફાડ જોઈને મુનિઓના મનમાં પણ પૃહા ઉત્પન્ન થઈ.” અહીં પ્રસંગ એ છે કે કઈ ભૂખી સિંહણ પિતાનાં બચ્ચાંને ખાઈ જવા તૈયાર થઈ છે, તે જોઈને બેસિવ બચી બચાવવા પિતાનો દેડ એ સિંહણને ધરી દે છે અને સિંહણ દાંત અને નખથી તેને લેહી હાણું કરી નાખે છે, એ જોઈને બે ધિસત્તને કેાઈ ભક્ત આ વચનો ઉચ્ચારે છે. બોધિસત્તના શરીર ઉપર રોમાંચ થયા છે તે પોતાનું કર્તવ્ય બજાવી શકવાના આનંદથી થયા છે. સિંહણ જોહીતરસી છે અને તે દાંતથી ને નખથી બેધિસરની ચીરફાડ કરે છે. એ જોઈને મુનિઓના મનમાં પણ એવી અભિલાષા જાગે છે કે અમારામાં પણ આવું બલિદાન આપવાની શક્તિ હોય તે અમારું જીવન પણ ધન્ય થઈ જાય. અહી દંતક્ષત, રોમાંચ, મૃગરાજવધૂ, રક્તમન, ડા, વગેરે શબ્દોના બબ્બે અર્થ થાય છે અને તેથી એમાંથી શૃંગાર રક અર્થ પણ વ્યંજિત થાય છે. અને તેમાંથી સંજોગજન્ય રોમાંચ, દંતક્ષા, નખક્ષત, અનુરક્ત મન વગેરે અર્થ સમજાય છે. અને એ સંદભ મ તલત, નખક્ષત અને રોમાંચાદિ જોઈને જાણે અનિઓને પણ કામવાસના જાગે છે. બોધિસરની બાબતમાં દેહદાન અને સંગભંગારનું ભેગું કથન હેઈ સમાસક્તિ અલંકાર છે વળી. મુનિ એના મનમાં પણ સ્પૃહા જાગી એવો વિરોધાલંકાર પણ છે. આમ, એ બે અલંકારની અહી સમૃષ્ટિ છે, કારણ, એ બે વચ્ચે નથી ગાંગિભાવ કે નથી સંદેહ આ સમાસક્તિ અને વિધાલંકારની સમૃદ્ધિ, આખા કને વ્યંગ્ય જે દયાવીર, તેને જ પરિપષ કરે છે. આમ, આ લેકમાં દહાવીર નામે રસ અને આ બે અલંકારોની સંસ્કૃદ્ધિને સંકર છે. અને માટે જ વૃત્તિમાં કહ્યું છે કે – અહીં સમક્તિ સાથે સંસૃષ્ટિથી જોડાયેલા વિરાધાલંકાર સાથે અલક્ષ્યક્રમવ્યંગ્યને સંકર છે, કારણ, અહીં દયાવીર જ, ખરું જોતાં, પ્રધાન છે.
SR No.023111
Book TitleAnandvardhanno Dhvani Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy