SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ હs] ગુણીભૂતવ્યંગ્યનું નિરૂપણ [બન્યાપક રૂપક, અનુતિ, વ્યતિરેક બધાને જ સમાવેશ થઈ જાય છે. આપણે એક પાંત લઈ એ. હે રાજ, તને યુદ્ધભૂમિ ઉપર જેઈને તારા શત્રુના પહાએ આવા બાવા સંક૯પવિકલ્પ કરે છે કે આ તે સૂર્ણ છે? પણ તેને તો સ ત ઘોડા હેય છે. તે શું એ અગ્નિ છે! પણ તે કંઈ નિશ્ચિતપણે બધી દિશાઓમાં ફેલાતો નથી. તો શું એ સાક્ષાત યમ છે પણ તેને વાહન તો પાડે છે.” આમાં વાચ્ય અલંકાર સસંદેહ છે, અને સાથે સાથે સાદપની પણ વ્યંજનાથી પ્રતીતિ થાય છે. “રાજા સૂર્ય જેવો છે', એ ઉપમા થઈ. “રાજા સૂર્ય છે', એ ૨ ક થયું “આ રાજા નથી, રાઈ છે', એ અપ નિ થઈ. “રાજ કરતાં સૂર્યમાં વિશેષતા છે', એ અતિરેક . આમ, અહીં, સાદશ્યમૂલક બધા જ અલંકારે ગર્ભિત થઈ જાય છે. કેટલાક અલંકાર પરસ્પરગતિ થઈ શકે છે, જેમ કે દીપક અને ઉપમા. ઉપમાગભ દીપક તે જાણી જ છે. કોઈ વાર દીપક પણ ઉપમામાં ગર્ભિત હોય છે. જેમ કે માપમામાં. દા. ત. “કુમાર-સંભવમાં પાર્વતીથી હિમાલયની શોભા વધે છે એમ કહેવા લખેલે નીચેને લોક – “ભારે પ્રભાવાળી શિખારી જેમ દવે, ત્રિપથગા ગંગાથી જેમ આકાશમાર્ગ, સંસ્કારી વાણીથી જેમ વિદ્વાન, તેમ તેના (પાર્વતી)થી તે (હિમાલય) પવિત્ર પણ થયો અને વિભૂષિત પણ થયો.” આમાં પવિત્ર અને વિભૂષિત થવારૂપી એક સાધારણ ધર્મથી અનેક પદાર્થોને જોડવા છે, એટલે માપમાં વાચાલંકાર છે. દીપમાં પણ એવું જ થાય છે. એટલે આ માલેપમામાં દીપકની છાયા સ્પષ્ટપણે જે શકાય છે. એટલે, આ રીતે, વ્યંગ્ય અંશના સંસ્પર્શને લીધે ચારત્યાતિશય ધારણ કરતા રૂપકાદિ બધા જ અલંકાર ગુણીભૂતવ્યંગ્યના ક્ષેત્રમાં સમાઈ જાય છે. એ પ્રકારના એટલે કે વ્યંગ્યસંસ્પર્શથી ચાર ધારણ કરનારા ઉપર ગણાવેલા (દીપ,
SR No.023111
Book TitleAnandvardhanno Dhvani Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy