SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૩ ] અનુમતિવાદનુ ખ`ડન [ ધ્વન્યાલેાક જે, પણ એ ગમે તે હાય, એ સબધ લિ...ગલિંગી સબંધ નથી. એટલે સુબ્દમાંથી પ્રતીત થતા અર્થા એ અનુમાનને વિષય નથી. આમ, ખાલનારના શબ્દમાંથી આપણને જે સમજાય છે, તેમાંથી ખેલનારની શબ્દ ઉચ્ચારવાની પૃચ્છા, અને શબ્દ દ્વારા અર્થા વ્યક્ત કરવાની ઇચ્છા એટલે ભાગ અનુમેય છે, અનુમાનથી જાણી શકાય છે, પણ એણે શું કહેવું છે, તે તે શબ્દમાં મૂકેલું હાઈ શબ્દની અભિધા અથવા વ્યંજના વૃત્તિ દ્વારા જ સમાય છે, અમાં અનુમાનને અવકાશ નથી. એને અનુમાનરૂપ હોત તે। તા એની સત્યાસત્યતા વિષે પ્રશ્ન જ ન ઊઠત, જેમ ધુમાડાથી કરાતા અગ્નિના અનુમાન વિશે નથી ઊઠતેા. હવે અહીં કાઈ એવા પ્રશ્ન ઉઠાવે કે વાસ્યાયને તે શબ્દ સાથે સાક્ષાત્ સીધે। સંબંધ છે, એટલે તમારી દલીલ એના સબંધમાં સ્વીકારી શકાય, પણુ વ્યંગ્યાને કઈ શબ્દ સાથે સીધા સંબધ નથી, એટલે તેની ખાખતમાં એ દલીલ રવીકારી ન શકાય. એના નિરસન માટે હવે કહે છે કે— વ્યંગ્યા વાગ્યસામર્થ્યથી એટલે વાચ્ય અથના શેરે સમજાતા હોય છે, એટલે વાચ્યની પેઠે વ્યંગ્યને પણુ શબ્દની સાથે સંબધ હોય છે. એ સ''ધ સાક્ષાત્ હાય કે અસાક્ષાત્ એટલે કે પર પરાથી હાય, તેથી કંઈ એ સબધ મટી જતે નથી. બ્યંજનાને આધાર અભિધા ઉપર હાય છે, એ અમે પહેલાં બતાવી ગયા છીએ. એટલે વક્તાના અભિપ્રાયરૂપ વ્યંગ્યની બાબતમાં જ શબ્દો લિલ્ડંગ તરીકે કામ કરે છે, પણ તેના વિષયરૂપ અની ખાખતમાં તા શબ્દો પ્રતિપાદક તરીકે કામ કા હાય છે, અને અથ પ્રતિપાદ્ય હાય છે. મેનેા અર્થ એ છે કે મેલનાર શબ્દો ઉચ્ચારવા ઇચ્છે છે અને બ્દો મારકતે તે કાઈક અથ પ્રગટ કરવા ઇચ્છે છે, એટલું અનુમાના વિષય છે, એટલે કે એણે ઉચ્ચારેલા શબ્દો ઉપરથી આપણે આ અનુમાન ઉપર આવીએ છીએ, અને એમાં એના ખ્ખા લિંગ તરીકે ક્રમ કરે છે; પણ એણે જે કહેવું છે, જે એનું પ્રતિપાદ્ય છે, તેની બાબતમાં તે શબ્દ પ્રતિપાદક તરીકે જ કામ કરે છે.
SR No.023111
Book TitleAnandvardhanno Dhvani Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy