SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ન -૨૪] બાધ્યાપક વિરાધ કેમ ટળે! [ n તે બીજા ઉપર આધાર શી રીતે રાખી શકે? એટલે રસે વ અંગાંગી કે ઉપકાર્ય–ઉપકારક સંબંધ સંભવતો નથી. એના જવાબમાં કહેવામાં આવ્યું છે કે એવા લોકેએ પણ એટલું તો કબૂલ કરવું જ પડશે કે પ્રબંધમાં કોઈ રસ તેને વધુ ભાગ રકતો હોય છે, તો કોઈ રસ છેડે ભાગ રાકતો હેય છે. એમ કર્યા વગર વાર્તા જ કહી શકાતી નથી. વળી, જે રસ પ્રબંધના મોટા ભાગમાં વ્યાપેલો હોય છે, તેને બીજા રસ સાથે કોઈ સંગતિ જ ન હોય, તે તો કથામાં પણ કોઈ સંગતિ ન સંભવે. એટલે એ લોકોએ પણ રસે વચ્ચે તરતમભાવ હોય છે, એવું તો સ્વીકારવું જ પડે છે. એને જ અમે અંગગીભાવ અથવા ઉપકાર્ય–ઉપકારક ભાવ કહીએ છીએ. એટલે એ લોકો અસ્વીકાર કરે છે તે નામ પૂરત છે. આ બધી વાતો અમે કહી તે, જે લોકો એક રસ બીજા રસને વ્યભિચારી એટલે કે અંગ બની શકે છે, એમ માને છે, તેમના મતને અનુસરીને કહી છે. બીજા મત મુજબ તો અહી “રસ” શબ્દથી ઉપચાર કહેતાં લક્ષણ દ્વારા “સ્થાયી ભાવને જ ઉલ્લેખ કરવામાં આવ્યું છે, એટલે એક સ્થાયી ભાવને બીજાનું અંગ માનવામાં વિરોધ આવતે જ નથી. અહીં રસના અંગાંગી સંબંધ વિશે બે મતને ઉલ્લેખ કરવામાં ગાવ્યો છે. એ બંને તેને આધાર ભરત નાટયશાસ્ત્રના સાતમા અખાયને નીચેને બ્લેક છેઃ बहूनां समवेताना रूपं यस्य भवेद् बहु । स मन्तव्यो रसस्थायी शेषाः संचारिणो मताः। એ શ્લોકનો અર્થ બંને મતવાળાઓ જુદે જુદે કરે છે. જેઓ એમ માને છે કે રસમાં પણ કઈ અંગ અને કોઈ અંગી અથવા કોઈ સ્થાયી અને કોઈ સંચારી હોઈ શકે છે, તેઓ આ શ્લોકનો અર્થ એ કરે છે કે “ભેગા આવેલા અનેક ભાવમાંથી જે ભાવ પ્રબંધમાં વધુ બા૫ક હોય તેને સ્થાયી રસ કહે અને બાકીનાને સંચારી માનવા.” ના લોકો ઉપરના શ્લોકમાં સરકારી શબ્દ આવે છે તેને બે પદ માને છે ઃ રવાપી અને એમાંના વિસર્ગને વિકલ્પ લેપ થયો છે એમ કહે છે. ૨૩ ૧૬
SR No.023111
Book TitleAnandvardhanno Dhvani Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy