SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ ] નિત્યદોષ અને અનિત્યદોષની વ્યવસ્થા [ ધ્વન્યાલેક આમ, ગ્રંથકારે માધુર્ય, એજસ અને પ્રસાદ એ ભામહે ગણાવેલા ત્રણ ગુડ્ડા જ સ્વીકાર્યા છે અને તેની વિવિધ રસામાં કેવી વ્યવસ્થા હોય છે તે પણ બતાવ્યું છે. નિત્યદેષ અને અનિત્યદાયની વ્યવસ્થા એ પછી હવે નિત્યદોષ અને અનિત્ય દેાષની વ્યવસ્થા બતાવવા માટે અગિયારમી કારિકામાં કહ્યું છે કે— ૧૧ શ્રુતિવ્રુષ્ટ વગેરે જે અનિત્ય દોષા બતાવવામાં આવેલા છે તે નિરૂપ શૃંગારમાં જ ત્યાજ્ય ગણવામાં અવ્યા છે. અને વૃત્તિમાં ફાડ પાડીને કહ્યું છે કે શ્રુતિદુષ્ટ વગેરે જે અનિત્ય દાષા કહેલા છે તે પણ જ્યારે કેવળ વાચ્યામાં, અથવા શૃંગાર રસ સિવાયના બીજા કાઈ વ્યંગ્ય રસમાં અથવા પ્રધાન ન હોય એવા વ્યંગ્ય શૃગારમાં અસ્તિત્વ ધરાવતા હાય છે ત્યારે દોષરૂપ નથી ગણાતા. તે પછી શું છે? જ્યારે વ્યંગ્ય શૃગાર પ્રધાન હોય ત્યારે જ તેમાં એ દાષા . ત્યાજ્ય ગણાય છે. તે સિવાયને સ્થાને એ દાષા દાષા જ ન ગણાય. આ રીતે અસ લક્ષ્યક્રમથી પ્રગટ થતા ધ્વનિના આત્મા અમે સામાન્યપણે દર્શા. :: ભામહે ચાર દોષો ગણાવેલા છે ઃ ૧. ‘ વાન્ત' એટલે ‘ ઊલટી’ વગેરે અસભ્ય અની સ્મૃતિ કરાવે એવા પ્રયાગને શ્રુતિદુષ્ટ કહે છે; ૨. જે વાકયને જોરે અશ્લીલ અની પ્રતીતિ થાય તેને અ દુષ્ટ કહે છે; જેમ કે, રાજાના વનના આ શ્લોકા – છિન્ત્રાન્વેષી મહાન્તરો થાતાંયેયોવર્પતિ રાજાના સબંધમાં એને અથ એવા થાય છે કે છિદ્ર કહેતાં દેષાને શેાધનાર ભારે દૃઢ વ્યક્તિ હત્યા કરવાને માટે જ પાસે આવે છે. પણુ એમાં વપરાયેલા છિદ્ર, રતબ્ધ અને લાત ગ્રખ્તાને લીધે એમાંથી એક અશ્લીલ અર્થ પણ સમજાય છે. જેમ કે છિદ્ર એટલે યેાનિ, સ્તબ્ધ એટલે પુરુષનું કઠેર લિંગ અને ધાત એટલે સુરતક્રીડાનેા આધાત. ૩. એ પદોને ઊલટસૂલટ કરવાથી જે દેષ ઉત્પન્ન થાય છે તેને કલ્પનાદુષ્ટ કહે છે; જેમ કે, ‘વિમ્’ એ પદાને ઉલટાવવાથી ચિ' એમ થાય અને એમાંના વચલા ખે .
SR No.023111
Book TitleAnandvardhanno Dhvani Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy