SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ ] ગુણ અને અલંકારના ભેદ [ ધ્વન્યાલાક આ બધાં ઉદાહરણેામાં અચેતન પદાર્થોનું વન એ જ મુખ્ય વિષય હાવા છતાં એમાં ચેતનવસ્તુના વૃત્તાંતની ચેાજના રહેલી જ છે. હવે જો કાઈ એમ કહે કે જ્યાં ચેતનવસ્તુવૃત્તાંતની ચેાજના થઈ હોય ત્યાં રસાદિ અલંકાર થાય છે, તા તેા ઉપમા વગેરે અલકારોનું ક્ષેત્ર જ બિલકુલ લેાપ પામશે અથવા બહુ સંકુચિત થઈ જશે. કારણ કે એવા કઈ અચેતવસ્તુને વૃત્તાંત નથી જેમાં એછામાં એછુ' વિભાવરૂપે પણ ચેતનવસ્તુના વૃત્તાંતની ચાજના ન થઈ હોય, એટલે કે એ અચેતન વસ્તુના વિભાવાદિરૂપે ઉપયોગ ન થયેા હાય. તેથી રસાદિ જ્યારે અંગરૂપ એટલે કે અપ્રધાન હાય છે ત્યારે તે અલંકાર ગણાય છે. પણ જે અંગી રસ કે ભાવ બધી રીતે અલકાય હાય તે જ ધ્વનિના આત્મા ગણાય છે એટલે કે તેને જ ધ્વનિ એવું નામ પ્રાપ્ત થાય છે. ગુણ અને અલંકારના ભેદ વળી — જેએ એ પ્રધાન અને આશ્રયે રહે છે તેએ ગુણા કહેવાય છે. અને જેઆ કાવ્યનાં અંગ શબ્દ અને અને આશ્રયે રહે છે તેઓ કટકકુડળના જેવા અલકારા કહેવાય છે. આને સમજાવતાં વ્રુત્તિમાં કહ્યું છે કે જેએ એ રસાદિરૂપ અ’ગીભૂત અર્થાત્ પ્રધાન અને આશ્રયે રહે છે તે શૌર્યાદિની પેઠે ગુણ કહેવાય છે. અને જે વાચ્યવાચક એટલે કે અર્થ અને શબ્દ રૂપ કાવ્યનાં અંગા છે તેમને આશ્રયે રહે છે તે કટકકુડળની પેઠે અલંકાર કહેવાય છે. લેાચનકાર આ કારિકાને એ રીતે સમજાવે છે. એક તેા (૧) કાવ્યના આત્મારૂપ રસને આશ્રયે રહેલા માધુર્યાદિ ગુણા એ સાક્ષાત્ આત્માને આશ્રયે
SR No.023111
Book TitleAnandvardhanno Dhvani Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy