________________
93
–
–
––
–
–
––––
–
–
–
–
–
ચોદ ગુણસ્થાનક ભાગ-૩
–– ––– આવશ્યકાદિનું સમાવેશ થાય છે.
પરન્તુ એ પૂજન સેવનાદિ સર્વદા અને સર્વથા અત્યાજ્ય હોય તથા સામાયિકાદિ કિંવા દાનાદિક સર્વત્ર સેવ્ય હોય, તો જ તે સાધન રૂપે મુખ્યત્વે બની શકે છે. યદ્યપિ એનું કાદાચિત્ક સેવન પણ કોઇક વ્યક્તિને ફ્લીભૂત થઇ પણ જાય, એ સંભવિત છે. આથી અહર્નિશ અશક્ય હોય તો એનું કદાચિત સેવન પણ આવશ્યક તો છે જ. તથાપિ મુખ્ય નિયમ એવો ખરો કે-એનું સવિિદક અને સાર્વત્રિક સેવન પરિપૂર્ણ અને તાત્કાલિક ક્લપ્રદ બની જાય.
એ ખ્યાલમાં રાખવું કે-આ સઘળાનુંય સાદર સેવન મુખ્યા ધર્મના સેવન પર્યન્ત દોરી જનારા સાધનો છે તેથી છે. પરન્તુ આ સાધનોનું સત્ય સેવન તો જ્યારે એનાય જે સાધનો-નૈતિક જીવન, પ્રામાણિકતા-મુદ્રાલેખ, અશઠતા, ગંભીરતા, ઉદારતા, ધીરતા, સ્થિરતા, સહિષ્ણુતા અને ધર્મરોચકતા તથા અર્થિતા-જિજ્ઞાસા પ્રમુખ ગુણ રૂપ છે-તેનો સાદર સ્વીકાર થશે ત્યારે જ શક્ય છે, અળ્યથા નથી.
આ પ્રકારના પૂર્વતન ગુણોથી અલંકૃત બન્યા બાદ જેઓ તે તે પૂજન-સેવન પ્રમુખ ગુણો રૂપ સાધનોનું અવલમ્બન સ્વીકારે છે, તેઓ પરિણામે નિઃશંકતયા સત્ય ધર્મની પ્રાપ્તિ કરી શકે છે એ નિર્વિવાદ છે; પરન્તુ આ સાધન રૂપ ધર્મની, આરાધના સમયે પણ અનેકશઃ વિકટ સંકટો ઉપસ્થિત થવાની પૂર્ણ સંભાવના છે.
જે એ સંકટની વિકટ સંકડામણથી નૈતિક હિમ્મત હારી જવાય અને અખૂટ ધૈર્ય દાખવી એનોવિજય ન મેળવાય, તો એનું આરાધન ન જ થઇ શકે.
આથી જેમ એ સાધનોનું સેવન આવશ્યક છે, કે જેથી વાસના આદિનો પરિહાર થાય, સત્ય ધર્મની પ્રાપ્તિ થાય અને