SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ 90 ચોદ વણસ્થાન ભાગ-૩ અનન્તર પુનઃ દુષ્માપ્ય છે. ઇત્યાદિ સુવાક્યો તો સનાતન સત્યસ્વરૂપ છે. એમાં શંકા કરવી એ સ્વસત્તામાં સળેહ કરવા તુલ્ય છે. તથાપિ કેવલ અનાદિકાલતઃ સ્વતઃસિદ્ધ હોવા માત્રથી આ વાક્યો લાભપ્રદ બની જતા નથી યા તો ફ્લીભૂત થઇ ચતા નથી, કિંવા માત્ર આવા સોનેરી અગર તો ટંકશાલિ વાક્યોની સનાતન સત્યતા ઉપરથી જ અનેરી અમૂલ્યતા પોતાને માટે અંકાઇ શકતી નથી. એ તો અસંદિગ્ધ સ્વતોરૂટ હોઇ સત્યાર્થ ખ્યાપન કરે તે નિર્વિવાદ છે. પરન્તુ માનવજીવનની દુર્લભતા જેટલી એ ભવપ્રાપ્તિ પૂરતી નથી, તેથી વિશેષ એ ભવપ્રાપ્તિ બાદ માનવી જીવન જીવવા પૂરતી છે-દિવ્ય જીવન જીવવા પૂરતી છે. બાકી જેમ એ જીવન સર્વોત્કૃષ્ટ લદાયક હોઇ પવિત્રતમ છે, તેમ સર્વોપકૃષ્ટ નરક ફ્લપ્રદ હોઇ અપવિત્રતમ પણ છે. એટલે જો એની દુર્લભતમતા કોઇના પર પણ નિર્ભર હોય, તો તે કેવળ એ જીવન પામી દિવ્ય જીવન જીવવામાં જ છે. બાકી જેઓ મોહની મદિરાના પાનથી છકી જઇ, તેના ગેબી કેદ્દી છાકટા બની જઇ યથેચ્છ હાલે છે અને ભાન ભૂલી જઇ સ્વેચ્છાએ વિહરે છે, તેઓ તો હાથમાં આવેલી બાજીને બગાડી નાંખે છે અને દિવ્ય માનવજીવન હારી જાય છે, એ નિર્વિવાદ છે. જો કેવલ યથેચ્છ ખાવા-પીવા કે હરવા-વા અથવા પહેરવા-ઓઢવા કિંવા બોલવા, ચાલવા અને મોજમજા ઉડાડવા ચા તો વાસનાના ભોગ બનવા પૂરતો જ માનવભવ હોય, તો તો રખે માનતા કે માનવાની ભૂલ કરતા કે-આ દ્રષ્ટિએ એની દુરાપતા છે. આથીય મસ્ત જીવન પશુઓ વિતાવી શકે છે, તેમજ આથીચા વિશેષ તે તે આમોદ-પ્રમોદના સ્થાનોમાં કિવા આનન્દકુંજોમાં
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy