SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ ચૌદ ગુણસ્થાનક માણ-3 ——— જિનાગમો છોડી કુશાસ્ત્ર સાંભળનારાઓને સર્વજ્ઞ વીતરાગદેવને છોડી અસર્વજ્ઞ કુદેવોને સેવનારાઓનો મતિભ્રમ થયો છે, માટે જિનવચનનું જ શ્રવણ કરવું ઉચિત છે. શ્રોતાઓએ ઉપયોગવાળા થઇ તેનું શ્રવણ કરવું જોઇએ. જો ઉપયોગ રહિત સાંભળે તો કોઇ લાભકારક થાય નહિ અને તે ભેંસ આગળ ભાગવત જેવું થાય. એટલાજ માટે અનુપયોગનો નિષેધ કરવા માટે શાસ્ત્રકાર જણાવે છે કે निद्दाविगहा परिवलिए हिं मुत्तेहि पंजलिउडेहिं । भत्ति बहुमाण पुत्वं उवउते हिं सुणेयत्वं ॥ નિદ્રા, વિકથારહિત ગુપ્ત અંજલી યુક્ત, ઉપયોગ યુક્ત, શ્રોતાએ બહુમાનને ભક્તિ પૂર્વક જિનવચન શ્રવણ કરવું જોઇએ. આથી સ્પષ્ટ છે કે-ઉપાશ્રયાદિ ધર્મ સ્થાનકે વ્યાખ્યાન શ્રવણ કરવા આવનારે નિદ્રા, વિકથા એટલે રાજકથા, દેશકથા, ભક્તકથા અને સ્ત્રી કથા-આ ચારે પ્રકારની વિકથાને ત્યાગવી જોઇએ. કારણ કે તે પાપનું કારણ છે. જે કથા કરવાથી આત્મા પાપથી લેપાય ને સંસારમાં રખડે તેને વિકથા કહેવાય અને તે વિકથા ઉપાશ્રયમાં કરવામાં આવે તો પછી ઉપાશ્રય ને ઘરમાં ક શો ? ઉપાશ્રય, એ ધર્મક્રિયાનું સ્થાન છે માટે ઉપાશ્રયમાં તો ફ્ક્ત ધર્મકથાજ સાંભળવાની હોય. ધર્મસ્થાન સિવાયના સ્થાનમાં બંધાયેલ પાપ એ ધર્મસ્થાનકે ધર્મ કરવામાં આવે તો છૂટી શકે, પરંતુ ધર્મસ્થાનકમાંજ જ્યારે પાપ બંધાય તો પછી તે છુટવાને બદલે બંધાય છે. અરે, જૈન કુળમાં ઉત્પન્ન થયેલા નામધારી જૈનો પણ જાણતા હશે કે-આપણે જ્યારે દહેરાસર અથવા ઉપાશ્રયમાં પ્રવેશ કરતાં બિસીહિ કહેવા પૂર્વક એટલે દુનિયાદારી સંબંધી તમામ કાર્યોનો નિષેધ કરીનેજ પ્રવેશ કરીએ છીયે. બિસીહ કહેવા પૂર્વક ધર્મશ્રવણ કરવા આવેલ ગૃહસ્થો આગળ સાવધના ત્યાગી
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy