________________
ચૌદ |
Dાળક ભાગ-૩
૪3
જેટલામાં દેશાવકાશિક કરે છે તે વખતે તે સ્થાન ઉપરાંત અન્ય સ્થળના આત્માઓને તે અભયદાન આપે છે.
(૧૧) પૌષધ વ્રત - હવે કુ વ્યાપાર-સ્નાનાદિનો ત્યાગ બ્રહ્મચર્યનું પાલન અને તપ એ પૌષધવ્રત નામનું વ્રત છે. વળી તે પૌષધ વ્રતને શુધ્ધ દીક્ષિત મુનિના ચારિત્રની પેઠે અહોરાત્ર કે સમસ્ત રાત્રિ પર્યંત જિતેન્દ્રિય ભવ્યો આચરે છે. સંસાર રૂપી સર્પના મદનો નાશ કરવામાં પોષમાસ સરખું પૌષધ વ્રત આપત્તિના તાપનો નાશ કરે છે.
(૧ર) અતિથિ સંવિભાગ વ્રત - હવે મુનિને ચતુર્વિધા આહાર-વસ્ત્ર-પાત્ર અને વસતિ (ઉપાશ્રયનું) દાન તે અતિથિ સંવિભાગ વ્રત છે. શ્રધ્ધા પૂર્વક એક ભાગે સેવતાં પણ એ બારમું વ્રત ભવ્યોને અધિક ઉન્નતિ આપે છે.
ન ધર્મ ચિંતા ગુરૂદેવ ભક્તિ યેષાં ન વૈરાગ્ય લવોડપિ ચિત્તે | તેષાં પ્રસૂકલેશ ફ્લઃ પશૂના મિવોભવ: સ્યાદ્દર ભરીણામ્ | | ભાવાર્થ - ધર્મચિંતા-દેવ ગુરૂની ભક્તિ અને વૈરાગ્યથી વાસિત ચિત્ત આ ત્રણ જેનામાં હોય તે મનુષ્ય છે. ધર્મચિંતા દેવગુરૂની ભક્તિ અને વૈરાગ્યથી વાસિત ચિત્ત આ ત્રણ વિનાનો પશુ સમાના છે. અને તે ઉદરભરી (ઉદર = પેટ ભરનારો) છે.
પ્રથમ અણુવ્રત
પ્રાણવધના ત્યાગ રૂપ-કામદેવ કરતાં ચડિયાતું રૂપ, કુબેર ભંડારીનો પણ અહંકાર તોડી નાંખે એટલું બધું ધન, અખંડ સૌભાગ્ય અને આશ્ચર્યકારક આજ્ઞા પ્રધાન ઐશ્વર્ય, ઉગ વગરનાં ભોગો, શોક વગરનો સ્નેહીઓનો સંબંધ, એ બધાં ળો સુખો પ્રાણી વધનો ત્યાગ કરવાથી મળી શકે છે. -સાધી શકાય છે.
જે પોતાના વચનમાં વા મોઢા ઉપર અને પોતાની આંખમાં