SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ મુEાનક માર્ગ-૩ — — — — — — — — — — — — પ્રતિમાઓની) ક્રિયાઓ તે તે સર્વે ક્રિયાઓ ઉપરની પ્રતિમાઓમાં અવશ્ય જાણવી. પોતે આરંભ કરવાનો ત્યાગ કરે (કરાવવા અનુમોદવાની જયણા કરે), સ્નાન ન કરે છતાં પણ ઉષ્ણજળવડે સ્નાન કરી પૂજા કરવામાં તત્પર હોય તે આઠ માસની આઠમી પ્રતિમા છે. વળી જેને યાજજીવ સુધી પણ સચિત્તનો ત્યાગ હોય તોપણ જીનેન્દ્ર પૂજા કરીને ભોજન કરીશ એવી પ્રતિજ્ઞાવાળો હોય તેને ૬ માસ પ્રતિમાપેક્ષાએ અને પ્રતિમા વિના તો સાવજજીવ પણ આ આઠમી પ્રતિમા હોય છે. વળી નવમી પ્રતિમા ૯ માસની છે તેમાં સર્વથા એપ્ય આરંભનો ત્યાગ કરે, પૂર્વોક્ત આઠે પ્રતિમાની ક્રિયા સહિત હોય, અને જીનેન્દ્ર પૂજા (જળથી નહિ પણ) કપૂર અને વાસક્ષેપથી કરે. વળી દશમી પ્રતિમા ૧૦ માસની છે તેમાં ઉદિષ્ટકૃત આહારનું ભોજન ન કરે, સુરમુંડન (હજામત કરાવે એટલે કેશરહિત મસ્તકવાળો) થાય અથવા શિખા (ચોટલી) પણ રાખે અને પૂર્વોક્ત ક્રિયાઓ સહિત સ્વાધ્યાય ધ્યાન કરે. વળી આ પ્રતિમામાં જે દાટેલો ધન સમૂહ હોય તે સંબંધિ પુત્રો પૂછે અને પોતે જાણતો હોય તો તે ધનસમૂહ બતાવે-કહે અને જો ન જાણતો હોય તો કહે કે હું જાણતો નથી. હવે અગિઆરમી પ્રતિમામાં ઉત્કૃષ્ટથી ૧૧ માસ સુધી સાધુ થઇને વિચરે તેમાં સુરમુંડન કરાવે અથવા તો લોચ કરે અને રજોહરણ તથા પાત્ર પણ ધારણ કરે. || ૧૦૧૧૧૦Iી. ભીક્ષાને અર્થે પોતાના કુળની નિશ્રા વડે અથવા સાધર્મીઓની નિશ્રાવડે વિચરે અને પ્રતિમા પ્રતિપન્નક્યુ મે મિક્ષ ૧. અર્થાત આઠમી પ્રતિમામાં એ પ્રતિજ્ઞા પણ હોય છે. ૨. સેવક આદિ પાસે આરંભ કરાવવાનો ત્યાગ કરે જેથી કરવું અને કરાવવું એ બે કરણના ત્યાગ થાય છે. અને શ્રાવક હોવાથી અનુમતિનો ત્યાગ તો હોય નહિ.
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy