SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૬ – – ચૌદ ગુણસ્થાનક ભાગ-૩ – – – ––– – ––– – – – – (૧૧) ૧૪માં ગુણસ્થાનકનો કાળ પાંચ હસ્તાક્ષરના જેટલો હોય છે. (૧) પહેલું-બીજું અને ચોથું આ ત્રણ ગુણસ્થાનકોમાંથી કોઇપણ ૧ ગુણસ્થાનક લઇને જીવ પરભવમાં જઇ શકે છે. (૨) ૧-૨-૪-પ-૬-૮-૯-૧૦-૧૧ અને ૧૪ આ અગિયાર ગુણસ્થાનકને વિષે જીવો મરણ પામી શકે છે. (૩) ૩-૧૨-૧૩ આ ત્રણ ગુણસ્થાનકમાં જીવો મરણ પામતા જ નથી. (૪) ૧-૪-પ-૬-૭-૧૩ આ છ ગુણસ્થાનકોને વિષે જીવો સદાકાળ હોય છે. (૫) ૨-૩-૮-૯-૧૦-૧૧-૧૨-૧૪ આ ૮ ગુણસ્થાનકોને વિષે કોઇ વખતે કોઇ પણ જીવ ન હોય એમ પણ બને અને કોઇ વખત કદાચ હોય તો ૧ જીવ કે અનેક જીવો પણ હોઇ શકે છે. . (૬) ઉપશમ શ્રેણી ચડનારો ૮ થી ૧૧ ગુણસ્થાનકમાં તથા ઉપશમ શ્રેણી પ્રાપ્ત કરી ૧૧ થી ક્રમસર નીચે ઉતરતાં ૮ થી ૧૧ ગુણસ્થાનકને વિષે મરણ પામી શકે છે. ક્ષપશ્રેણીનું સ્વરૂપ વર્ણન અનંતાનુબંધી ૪ કષાય અને દર્શનસિક આ સાત પ્રકૃતિઓની ક્ષપના ૪ થી ૭ ગુણસ્થાનકમાં રહેલા જીવો કરે છે. આ ક્ષપકશ્રેણી ૧લા સંઘચણવાળા જીવો કરે છે. ચારિત્ર મોહનીયની ૨૧ પ્રકૃતિઓને ખપાવવા માટેનું ૭મું ગુણસ્થાનક તે યથાપ્રવૃત્તકરણ કહેવાય છે. ૮મું ગુણસ્થાનક તે અપૂર્વકરણ કહેવાય છે. મું ગુણસ્થાનક તે અનિવૃત્તિકરણ ગુણસ્થાનક કહેવાય છે. આ ત્રણે કરણો જીવ પુરૂષાર્થથી કરે છે. સ્થિતિઘાતાદિ પાંચવાના કરણ
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy