SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ ચોદ ગુણસ્થાનક ભાગ-૩ (૩૬૯ સમયમાં પૂર્વ-પશ્ચિમ દિશામાં આત્મ પ્રદેશોથી તેનો કપાટના જેવો આકાર કરે છે, ત્રીજા સમયમાં ઉત્તર-દક્ષિણ આત્મપ્રદેશોનો મંથનાકાર કરે છે અને ચોથા સમયમાં આંતરો પૂર્ણ કરવાથી તે સર્વલોક વ્યાપી થઇ જાય છે. આ ચોથે સમયે એ કેવલી ભગવાનું વિશ્વવ્યાપી થઇ જાય છે. વત્સ, અહીંથી પાછા તે નિવૃત્તિ કરે છે. એટલે એ પ્રમાણે કેવલી ભગવાન આત્મપ્રદેશોનો વિસ્તાર કરવાના પ્રયોગથી કમલેશને સરખા કરે છે, અને સરખા કર્યા પછી સમુદ્યાતથી. પાછા નિવૃત્ત કરે છે, એટલે પાંચમા સમયમાં જગત્ પૂર્ણતાના. અંતરોથી નિવર્તે છે, છઠે સમયે મંથાનાકાર દૂર કરે છે, સાતમે સમયે કપાટાકાર દૂર કરે છે અને આઠમે સમયે દંડાકાર સંકેલી પોતાના સ્વસ્વભાવમાં આવે છે-સ્વભાવસ્થ થાય છે. | મુમુક્ષુ સાનંદાશ્ચર્ય થઇ બોલ્યા- “ભગવન્, અહિં કેવલી કેવા યોગવાલા અને અનાહારક શી રીતે થાય છે ? તે દયા લાવી દર્શાવો.” આનંદ મુનિ બોલ્યા- “વત્સ, અહિં સમુદ્યાત કરતાં કેવલી ભગવાનું પ્રથમ અને અંત સમયે દારિક કાયયોગવાલા થાય છે, બીજા અને છઠા સમયમાં મિશ્ર ઔદારિક કાયયોગી થાય છે. (અહિં કામણ સાથે ઓદારિકનું મિશ્રપણું છે.) ત્રીજા, ચોથા અને પાંચમા સમયમાં કેવલ કાર્પણ કાયયોગવાલા થાય છે. તે કેવલી જે સમયોમાં માત્ર કામણ કાચ યોગવાલા હોય છે, તે સમયોમાં તેઓ અનાહારક હોય છે.” | મુમુક્ષુએ દીર્ધ વિચાર કરી કહ્યું, “ભગવાન, આપના વચનો એ મારી શંકાને પરાસ્ત કરી છે, તથાપિ એક જિજ્ઞાસા ઉત્પન્ન થઇ છે, તે કૃપા કરી તૃપ્ત કરો.” આનંદમુનિએ કહ્યું, “ભદ્ર, તારી શી જિજ્ઞાસા છે ? જે
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy