SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ – – – – – – ચૌદ ગુણસ્થાનક માર્ગ-૩ ૩૪૧ – – (૧૨) આતપનામ, (૧૫) ત્રણ સત્યાનદ્ધિ અને (૧૬) સ્થાવર ત્યાનર્વેિ નામ-આ કર્મની સોળ પ્રકૃતિનો ક્ષય પ્રથમ ભાગમાં કરે છે. બીજા ભાગમાં અપ્રત્યાખ્યાન કષાય તથા પ્રત્યાખ્યાન કષાયની ચોકડીનો ક્ષય કરે છે. ત્રીજા ભાગમાં નપુંસક વેદનો ક્ષય કરે છે. ચોથા ભાગમાં સ્ત્રીવેદનો ક્ષય કરે છે. પાંચમાં ભાગમાં હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક અને જુગુપ્સા -એ નોકષાયનો ક્ષય કરે છે. છઠ્ઠા ભાગમાં અતિ નિર્મળ ધ્યાનના પ્રભાવથી પુરૂષ વેદનો ક્ષય કરે છે. સાતમા ભાગમાં સંજ્વલન ક્રોધનો ક્ષય કરે છે અને આઠમા ભાગમાં સંજ્વલન માનનો અને નવમા ભાગમાં સંજ્વલન માયાનો ક્ષય કરે છે. વત્સ, એ ઉત્તમ સૂચના દર્શાવાને માટે નવા રેખાઓનો દેખાવ કેવો મનોહર આપેલો છે? તેની ઉપર જે બાવીશ ઝાંખા તિલકો દેખાય છે, તે એવું સૂચવે છે કે, આ ગુણસ્થાનમાં વર્તનારો જીવ હાસ્ય, રતિ, ભય, જુગુપ્સા આ ચારનો વ્યવચ્છેદ હોવાથી બાવીશ પ્રકૃતિનો બંધ કરે છે. જે છાસઠ અને પાત્રીશા અંશુઓ ફુરણાયમાન થાય છે, તે ઉપરથી એવી સૂચના દર્શાવી છે કે, એ સોપાન પર રહેલા મુનિને છ પ્રકારના હાસ્યનો ઉદય વ્યચ્છેદ થવાથી તે છાસઠ પ્રકૃતિને વેદે છે અને નવમા અંશમાં (ભાગમાં) માયા પર્યત પ્રકૃતિઓનો ક્ષય કરવાથી પાંત્રીશ પ્રકૃતિનો વ્યવચ્છેદ થાય છે. અને જેથી એકંદર એકસો ત્રણની સંખ્યા દેખાય છે, તે એવું સૂચવે છે કે, પેલી જે પાંત્રીશ પ્રકૃતિનો વ્યવચ્છેદ થવાથી અહિં એકસો ત્રણ પ્રકૃતિની સત્તા છે. વત્સ, આ પ્રમાણે આ સોપાનની ચમત્કારી બીના છે. અહીં વર્તનારા ક્ષેપકને એવો કોઇ ઉત્તમ આનંદ પ્રાપ્ત થાય છે કે, જેને માટે અનુભવી મહાત્માઓ ઉત્તમ આશય દર્શાવે છે.” મુમુક્ષુએ મગ્ન થઇને જણાવ્યું - “ભગવન્, આપની વાણી યથાર્થ છે. આ સોપાનની સમૃદ્ધિ પ્રાપ્ત કરવાને હૃદયમાં ઉત્તમ
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy