SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૩ 33c - - - - - - અને ભવિષ્યમાં જે આત્માઓ આ ગુણસ્થાનકના એ સમયના અધ્યવસાયને પામશે એ બધાના અધ્યવસાયો એટલે પરિણામો એક સરખા જ હોય છે. આ સમય સમય ના અધ્યવસાયમાં એક એક કરતાં અનંત ગુણ અનંત ગુણ વિશુદ્ધિ પ્રાપ્ત થતી જાય છે અને એ પરિણામની વિશુદ્ધિથી જે જે સમયે જે પ્રકૃતિઓનો નાશ થતો હોય તે પ્રમાણે નાશ થતો જ જાય છે અને અનંત ગુણા વિશુદ્ધિ વધતી જાય છે. આ ગુણસ્થાનકમાં કષાય સ્કુલ રૂપે ઉદયમાં રહેતો હોવાથી બાદર રૂપે રહેતો હોય છે. આ ગુણસ્થાનકનું બાદર સંપરાય ગુણસ્થાનક કહેવાય છે, સંપરાય = કષાય. નવમ સોપાન (અનિવૃત્તિ ગુણસ્થાન) જેમની મનોવૃત્તિ સર્વાત્મભાવમાં લીન થયેલી છે, જેમના હૃદયમાં આ જગતના જીવોના કલ્યાણના ચિંતવનનો પ્રવાહ વહન થયા કરે છે અને જેઓ સર્વદા કરૂણાના મહાસાગરમાં મગ્ન થયેલા છે, એવા મહાત્મા આનંદસૂરિ પોતાના ભક્ત, અને ધર્મ પ્રેમી મુમુક્ષુને વિશેષ બોધ આપવાની ઇચ્છાથી બોલ્યા, ભદ્ર “આ તત્તમય સૂચનાઓથી ભરપૂર એવી આ નીસરણીના નવમા પગથીઆ ઉપર દ્રષ્ટિ કર. આ સુંદર સોપાન અનિવૃત્તિ બાદર નામના નવમા સ્થાનથી ઓળખાય છે. તે પગથીઆની અંદર નવ રેખાઓ દેખાય છે, તે તેના નવ ભાગને સૂચવે છે. તેની આસપાસ બાવીશ ઝાંખા તિલકો દેખાય છે અને આ સોપાનમાંથી બાવીશ, છાસઠ, અને પાંત્રીસા અંશુઓ ફુરણાયમાન થાય છે અને તે એકંદર એકસોકસની સંખ્યામાં દેખાય છે. ભદ્ર, તે સર્વની ગણના કરવી હોય તો ધ્યાન
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy