________________
ચૌદ ગુણસ્થાનક માણ-3
પ્રભાવથી છે. ક્લેશ કરાવનાર જનોને મારનાર, અને સાવધયોગમાં તત્પર એવો પણ નારદ જે મોક્ષ પામે છે તે નિશ્ચયે બ્રહ્મચર્યનું જ મહાત્મ્ય છે. પરસ્ત્રી ગમનથી આ ભવમાં પણ વધ-બંધન-ઉંચ બંધન-નાસછેદ-ઇન્દ્રિયછેદ અને ધન ક્ષય ઇત્યાદિ ઘણા પ્રકારની કદર્થનાઓ થાય છે. તથા પરલોકમાં પણ સિંબલિ (શાલમલીનું વૃક્ષ) તથા તિક્ષ્ણ કંટકનાં આલિંગન વિગેરે ઘણા પ્રકારનું દુઃસહ દુ:ખ પરદારગામી જીવો નરકને વિષે પામે છે. તથા (પરભવમાં) દુઃશીલજનો છેદાયેલી ઇન્દ્રિયોવાળા, નપુંસકો, દુષ્ટરૂપવાળા, દૌભંગી, ભગંદરવાળા, રંડાપણવાળા, કુરંડાપણવાળા, વાંઝીયા, નિન્દુ (મૃતવત્સા) અને વિષકન્યા રૂપે થાય છે. ।। કૃતિ વતુર્થ स्थूलमैथुन विरमणाव्रतम् || ३७-४६ ।।
।। ૭ સ્થૂલ પરિગ્રહ વિરમવ્રત ||
૧૮
ક્ષેત્ર વાસ્તુ વિગેરેનું સંયોજન, રૂપ્ય સુવર્ણ વિગેરે સ્વજનોને ઘેર રાખે, ધન ધાન્યાદિ પરઘેર રાખે તે યાવત્ નિયમ પૂર્ણ થાય ત્યાં સધી રાખે, દ્વિપદ ચતુષ્પદાદિકને ગર્ભ ગ્રહણ કરાવે, કુપ્ય (રાચ રચીલું) સંક્ષેપ કરે (ઘણાનું એક કરે) અથવા અલ્પ સંખ્યા પણ બહુ મૂલ્યવાળી રાખે એ પાંચ અતિચાર પાંચમા વ્રતના છે. પરિગ્રહ બાહ્ય અને અત્યંતર એમ બે પ્રકારે જાણવો, તેમાં મિથ્યાત્વ રાગ અને દ્વેષ તે અભ્યન્તર પરિગ્રહ છે તથા બાહ્ય પરિગ્રહ ૯ પ્રકારનો જાણવો તેમાં ધન, ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ, રૂપ્ય, સુવર્ણ, કુણ્યપ્રમાણ તથા દ્વિપદ અને ચતુષ્પદ વિગેરે કહ્યો છે. એમાં ધાન્ય ૨૪ પ્રકારના છે. તથા ધન રત્નાદિ ૨૪ પ્રકારે છે, ચતુષ્પદ ૧૦ પ્રકારે છે, દ્વિપદ ૨ પ્રકારે છે, અને કુષ્ય એક પ્રકારે છે. તથા સ્થાવરરૂપ વાસ્તુ ૩ પ્રકારે છે એ પ્રમાણે ૬૪ ભેદ થાય છે, અથવા