SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાનક ભા|-૩ – – ––– – – – – – – – – – – – – ૧૩ – – અને વ્યવહાર એ ત્રણ નવો જ વિશુદ્ધ છે. (વિશેષ સ્પષ્ટાર્થ વ્યવહારસૂત્રની વૃત્તિ તથા મૂળથી જાણવો) અહિં (અહિંસા વિગેરેના) પરિણામનો દેશથી ભંગ હોય પણ સર્વથા ભંગ ન હોય (એક અપેક્ષાએ ભંગ અને એક અપેક્ષાએ અભંગ) એ પ્રમાણે ભંગ અને અભંગ (એ ઉભયમિશ્ર પરિણામ) તે અતિચારનું લક્ષણ છે એમ જાણવું. જે ઉત્કૃષ્ટ આરોગ્ય, અખલિતા આજ્ઞા, પ્રગટ ઠકુરાઇ, અપ્રતિરૂપ (બીજા કોઇનુ નહિં એવું અસાધારણ) રૂપ, ઉજ્વલ કીર્તિ, ધન, યુવાની, દીર્ધ આયુષ્ય, અવંચક (સરળ પરિણામી) પરિવાર, હંમેશાં વિનયવાન પુત્રો એ સર્વ આ સચરાચર (જંગમ અને સ્થાવરમય) જગતને વિષે નિશ્ચયે દયાનું-અહિંસાનું ફળ છે. ધાન્યોના અને ધનના રક્ષણ અર્થે જેમ વાડા વાડા વિગેરે કરાય છે તેમ અહિં સર્વે વ્રતો (મૃષાવાદવિરમણાદિ સર્વ વ્રતો) પ્રથમ વ્રતના રક્ષણ માટે કરાય છે. પલાલ સરખાં (તૃણવત્ નિઃસાર એવાં ક્રોડોગમે પદ ભણી ગયા તેથી શું, કે જે ભણવાથી “પરને પીડા ન કરવી” એટલું પણ ન જાણ્યું ? મેરૂ પર્વતથી મોટું કોણ છે ? સમુદ્રથી અધિક ગંભીર શું છે ? અને આકાશથી વિશાલ કોણ છે ? તેમ અહિંસાધર્મથી બીજો મોટો ધર્મ કોણ છે ? || તિ શૂભ પ્રાતિપાત વિરમણવ્રતમ્ II99 || ૨ ધૃભમૃષાવાદૃ વિરમUતિ II અલિ-અસત્ય વચન ન બોલવું, અને (અહિતકારી એવું) સત્યવચન હોય તોપણ ન બોલવું, કારણ કે જે પરને પીડકારી વચન સત્ય હોય તો પણ તે સત્ય ન જાણવું. મૃષાવાદ સ્થૂલ અને સૂક્ષ્મ એમ બે પ્રકારે છે, ત્યાં અહિં હાસ્યાદિકથી ઉત્પન્ન થયેલા હોય તે સૂક્ષ્મમવાદ્, અને તીવ્ર સંશથી ઉત્પન્ન થયેલ હોય
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy