________________
થાણક ભા-૨
૧૩૦ જીવનો જે પરિણામ હોય છે, તે પરિણામને અન્તરકરણ તરીકે ઓળખવામાં આવે છે. અન્તર ક્રણથી સધાતું કાર્ય :
અન્તર્મુદળિયાંની સાદળિયાં શુદ્ધ બને
આ અન્તર કરણનું અન્તર્મુહૂર્ત, એટલે એવું અન્તર્મુહૂર્ત કે જે અન્તર્મુહૂર્તમાં જીવને મિથ્યાત્વ મોહનીયનાં દળિયાંનો ના તો પ્રદેશથી ઉદય હોય, ન તો વિપાકથી ઉદય હોય. માત્ર સત્તામાં જ મિથ્યાત્વ મોહનીયનાં દળિયાં હોય. સત્તામાં રહેલાં મિથ્યાત્વ મોહનીયનાં દળિયાંની સફાઇનું કામ, જીવ, એ અત્તર કરણના અન્તર્મુહૂર્તમાં કરે છે. અન્તર કરણ દ્વારા જીવ મિથ્યાત્વ મોહનીચનાં દળિયાંની સફાઇનું જે કામ કરે છે, તેમાં બધાંય દળિયાં સાફ થતાં નથી. બધાં દળિયાં શુદ્ધ બનતાં નથી. કેટલાંક દળિયાં શુદ્ધ બને છે, કેટલાંક દળિયાં શુદ્વાશુદ્ધ બને છે અને કેટલાંક દળિયાં અશુદ્વનાં અશુદ્ધ કાયમ રહે છે. આમ, મિથ્યાત્વ મોહનીયનાં દળિયાં ત્રણ વિભાગમાં વહેંચાઈ જાય છે. તેમાંના જે દળિયાં શુદ્ધ બને છે, તે દળિયાંના સમૂહને સમ્યક્ત્વ મોહનીયનો પુંજ કહેવાય છે તેમાંનાં જે દળિયાં અર્ધ શુદ્ધ અથવા તો શુદ્વાશુદ્ધ બને છે, તે દળિયાંના સમૂહને મિશ્ર મોહનીયનો પુંજ કહેવાય છે; અને, બાકી રહેલાં અશુદ્ધ દળિયાંના સમૂહને મિથ્યાત્વ મોહનીયનો પુંજ કહેવાય છે.
સ. એ પરિણામ કેવો હોતો હશે ?
એ પરિણામ કેવો હોય, એ તો જ્ઞાની જ જાણી શકે. એમાં કહેવાય કે-એવા અપૂર્વ આનન્દનો અનુભવ હોય, કે જેને વાણીમાં મૂકી શકાય નહિ. એટલી કલ્પના જરૂર થઇ શકે કે-મિથ્યાત્વ મોહનીચના ઉદયે જે પરિણામ જન્મ, તેનાથી તદન ઊલટા સ્વરૂપનો એ પરિણામ હોય. કુદેવ, કુગુરૂ અને કુધર્મના ત્યાગસ્વરૂપ તેમ જ સુદેવ, સુગુરુ અને સુધર્મના સ્વીકાર સ્વરૂપ એ પરિણામ હોય