SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ८४ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ મોટાઇ અને ખાલી કંજુસાઇ કદી ઢાંકી રહેતી નથી. ખુબ યાદ રાખવું કે જનસમાજ એથી કદિપણ છેતરાતો નથી. ખરી સ્થિતિ ઘણી જલદીથી જણાઇ આવે છે. માટે કદી પણ ખોટી મોટાઇ કે બીનકારણ કંજુસાઇ કરવી નહીં. 31Mમિઘાર્યો : એ ચૌદમું વિશેષણ છે. આઠ પ્રકારના બુદ્ધિના ગુણથી યુકત માર્ગાનુસારી હોવો જોઇએ. शुश्रूषा श्रवणं चैव, ग्रहणं धारणं तथा । દો પોદો :31ર્થવિજ્ઞાનં, તત્ત્વજ્ઞાન ૧ ઘMI: II આ શ્લોકમાં દર્શાવેલા બુદ્ધિના આઠ ગુણો સમજી તે ધારણ કરવા. (૧) શુશ્રષા – શાસ્ત્ર શ્રવણ કરવાની ઇચ્છા કરવી. (૨) શ્રવ – શાસ્ત્ર સાંભળવું. (૩) ગ્રહ - શાસ્ત્ર સાંભળીને તેનો અર્થ ગ્રહણ કરવો. (૪) ઘારV - તે સારી પેઠે યાદ રાખવો. (૫) ૩: - ધારણ કરેલા શાસ્ત્રાર્થ ઉપરથી તેની સાથે સંબંધ ધરાવનારા અન્ય પદર્થો વિષે તર્ક ચલાવવો. (૬) ઉપોદ- તે થકી વિરૂદ્ધ અર્થ બાબત યુતિથી વિચાર કરીને તેથી દૂર રહેવું. (૭) 31થવિજ્ઞાનં - ઊહાપોહથી સંદેહ દૂર કરીને વિશેષ જ્ઞાન મેળવવું. (૮) તત્ત્વજ્ઞાનં - તેનો યથાર્થ નિશ્ચય કરી રાખવો. આ પ્રકારનાં બુદ્ધિના આઠ ગુણ પ્રાપ્ત કરવાથી ઉચ્ચ પ્રકારનું શાસજ્ઞાન સંપાદન થઇ પોતાના અવગુણો સહેજ દૂર કરી શકાય છે. શ્રાવક શબ્દનો મૂળ અર્થજ સૂચવે છે કે તેણે હંમેશ ધર્મશ્રવણ કરવોજ જોઇએ. જો ધર્મશ્રવણ ન કરે તો “શ્રાવક' એવું વિશેષણ કદિપણ યથાર્થ કહી શકાય નહીં. સુખોતિ રતિ શ્રાવ: અહીં કહેવાની જરૂર છે કે “શ્રાવક' એવું વિશેષણ અમુક કુળમાં કે ગોત્રમાં ઉત્પન્ન થવાથી પ્રાપ્ત થાય છે એમ કાંઇ નથી. વ્યવહારમાં ગમે તેમ હો પરંતુ શાસ્ત્રદ્રષ્ટિએ અને વાસ્તવિક રીતે એ વિશેષણ અમુક ગુણ ધારણ કરનાર શખ્સને - પછી તે ગમે તે જાતિકુળમાં ઉત્પન્ન થયો હોય તોપણ લાગુ પડે છે. એ ગુણમાં સર્વથી મુખ્ય ગુણ ધર્મશ્રવણ કરવાનો હોવો જોઇએ. માટે ઉપર જણાવેલા
SR No.023107
Book TitleChaud Gunsthanak Part 01 Gunsthanak 1
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy