SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૧ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ તો જન્માન્તરમાં હાડકાનાં ચૂરેચૂરા થઇ જશે અર્થાત્ એકેન્દ્રિયાદિ બુદ્ધિહીન અવતારોમાં અનન્તકાળ પર્યત રખડવું પડશે. અમારી ખાત્રી છે કે-આ જાતિના વિતિ અને શિષ્ટ વિચારોનું સેવન તું અંત:કરણથી કરીશ, તો જ્ઞાનીઓના વિરહકાળમાં આજે પણ તું તારી શ્રદ્ધાને નવપલ્લવિત રાખી શકીશ અને શ્રીનિવચન પ્રત્યે શ્રદ્ધાળુ બનેલા એવા તને સર્વ સિદ્ધિઓની સંપ્રાપ્તિ થશે, એમાં કોઇ પણ જાતનો સંદેહ ધરાવવાને કારણ નથી. ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ અને તેમના વચનોનું અનુમોદન કરતાં ઉપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજા ફરમાવે છે કે __ "शास्त्रे पुरस्कृते तस्माद्वीतराग: पुरस्कृत: । पुरस्कृते पुनस्तस्मि, नियमात्सर्वसिद्धयः ।।१।।" શાસને આગળ કરવાથી વીતરાગ આગળ કરાય છે અને વીતરાગ આગળ કર્યા એટલે સર્વ સિદ્ધિઓની સિદ્ધિ નિયમા થાય છે.” અહીં શાસ્ત્રનો અર્થ વીતરાગનું વચન છે અને એ વીતરાગનું વચન આગળ કરનાર વીતરાગવચન પ્રત્યેની શ્રદ્ધાવાળો છે. એ શ્રદ્ધા એની સર્વ સિદ્ધિઓનું બીજ છે. શ્રદ્ધાનું આ મહાફળ સમજનારો એ શ્રદ્ધાને પોષક ટલી સામગ્રીઓ છે, તે સર્વ સામગ્રીઓનું સર્વ પ્રકારે બહુમાન કરે એમાં કશું જ આશ્ચર્ય નથી. એમાંની એક પણ સામગ્રીની અવગણના એ સાક્ષાત્ વીતરાગની જ અવગણના છે. આ દ્રષ્ટિએ વિચાર કરનાર આત્મા “નિર્દભ વૈરાગ્યની પ્રાપ્તિ શ્રી નિવચનની પ્રાપ્તિ સિવાય શકય નથી' –એ કથનનું તાત્પર્ય સહેલાઇથી સમજી શકશે. અહીં એક શંકા થવાને અવકાશ છે કે-શ્રી જિનેશ્વરદેવ એ સર્વજ્ઞ છે, તેથી તેમના વચનમાં કોઇને પણ શંકા થાય એ માનવું જ અસ્થાને છે. વર્તમાનમાં શ્રી જિનવિદ્યમાન નથી તેથી તેમના વિરહમાં તેમનું કહેવું વચન કયું? એનો નિશ્ચય નહિ થવાના કારણે જ કોઇને પણ સંદેહ થાય છે અર્થાત્ શ્રી જિનવચન પ્રત્યે નિશ્ચળ શ્રદ્ધા શ્રી જિનના વિદ્યમાનકાળમાં જ શકય છે. સિવાયના કાળમાં તો શ્રી જિનના નામે કહેવાતા કેટલાક
SR No.023107
Book TitleChaud Gunsthanak Part 01 Gunsthanak 1
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy