SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૬ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ દોષ તેમનો પોતાનો છે, નહિ કે તે ધર્માનુષ્ઠાનોનો. અગર જો તે આત્માઓના જીવનમાં ધર્માનુષ્ઠાનોનું આચરણ પણ ન જ હોત, તો તેઓ આજે જેટલા સારા દેખાય છે તેટલા પણ સારા રહી શકયા હોત કે કેમ ? એ એક સવાલ છે. તેઓને વધુ પાપી થતા અટકાવનાર એ ધર્માનુષ્ઠાનો જ છે. તેઓમાં પ્રવેશેલી દાંભિક વૃત્તિ, જડતા, આગળ વધવાના ઉત્સાહનો અભાવ, ગતાનુગતિકતા, સ્વાર્થ સાધવાની જ એક વૃત્તિ, એ વિગેરે દોષો એ એમની વિષક્રિયાઓ, ગરલક્રિયાઓ અને સમૃૐિમક્રિયાઓનાં ફળ છે. શ્રી જૈનશાસને એ ક્રિયાઓને કદાપિ વિહિત કોટિની ગણેલી નથી. અવિહિત રીતિએ ક્રિયાઓને આચરનારાઓના દોષનો ટોપલો વિહિત રીતિએ ક્રિયા આચરવાનો ઉપદેશ આપનારાઓ ઉપર ઓઢાડી દેવા પ્રયાસ કરવો, એ સર્વથા ન્યાયવિરૂદ્ધ છે. ક્રિયા પ્રત્યે આદર ગુમાવી બેઠેલા કહેવાતા ભણેલાઓએ એ જાતની નીતિ અખત્યાર કરવી, એ તેમના ભણતરને કલંક લગાડનાર છે. એવી ઉંધી નીતિ અંગીકાર કરવાના બદલે શરૂથી જ જો તેઓએ સલ્કિયામાં પ્રવેશતી અવિધિનો જ માત્ર સામનો કર્યો હોત, શુદ્ધ વિધિપૂર્વક થતી ક્રિયાઓને હૃદયથી પ્રશંસી હોત અને જગતમાં તેનો જ મહિમા ગાયો હોત, તો વિપરીત રીતિએ અનુષ્ઠાન કરનાર કે તેઓની આટલી કફોડી દશા થવા પામત નહિ. માર્ગથી ચુત થવાનું કે બીજાઓને કરવાનું મુખ્ય કારણ તેઓની આ અયોગ્ય નીતિ જ છે. શ્રી જિનભાષિત લોકોત્તર અનુષ્ઠાનો, એ શ્રદ્ધા અને વૈરાગ્યને પોષક છે. એનો અનુભવ આજે ન થતો હોય તો તેનો દોષ વિપરીત ઇરાદે કે અન્ય અવિધિના આસેવનપૂર્વક અનુષ્ઠાનો આચરનારાઓનો છે : અને તેથી પણ વધુ દોષ એ અવિધિની નિન્દાનો માર્ગ છોડી દઇ અનુષ્ઠાનોને જ નિન્દી છોડી દેનારા કે છોડી દેવાનો ઉપદેશ આપનારાઓનો છે. એ બંને માર્ગ ત્યાજ્ય છે. તેવા અયોગ્ય માર્ગોનો હજુ પણ ત્યાગ કરી દેવામાં આવે, તો તેવા આભાઓને લોકોત્તર અનુષ્ઠાનના મહિમાનો સ્વયં સાક્ષાત્કાર થયા સિવાય રહે નહિ અથવા શુદ્ધ વિધિપૂર્વક લોકોત્તર અનુષ્ઠાનો
SR No.023107
Book TitleChaud Gunsthanak Part 01 Gunsthanak 1
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy