SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ હોવાથી, તેને હૃદયમાં રાખી શકયો નહિ. જો કે-તેણે અન્ય કોઇને એ વાત નથી કરી, પણ કોઇ એક દિવસે ઓછી મતિવાળા તેણે હસીને પોતાની માતાને જ પૂછ્યું કે “હે માતા ! શું એ સાચું છે કે-તેં મારા પિતાને કુવામાં નાખ્યા હતા ?" ૨૨૭ પોતાના પુત્રનો આવો પ્રશ્ન સાંભળીને, તેની માતા આશ્ચર્ય પામી અને તેણી પોતાના પુત્રને પૂછે છે કે “હે પુત્ર ! તું આ વાત ક્યી રીતિએ જાણે છે ? અર્થાત્- તેં આ વાત શાથી જાણી !" પૉતાની માતાએ પૂછેલા આ પ્રશ્નનો ઉત્તર આપતાં, તે પુત્ર પણ કહે છે કે “મને આ વાત મારા પિતાએ જ કહી છે : આ વાત હું મારા પિતાના વચનથી જ જાણું છું." પોતાના પુત્રના આ કથનથી ગોશ્રી ખૂબ જ લજ્જાને પામી. વિચાર કરો કે-ગોશ્રીનું હૈયું કેવું પરિવર્તન પામી ગયું છે ! તે સમયે જે ભયંકર કૃત્ય આચરતાં પણ ગોશ્રીને સંકોચ નહોતો થયો, તે જ કૃત્યની વાત સાંભળતાં પણ આજે તે ખૂબ જ લજ્જાને પામે છે. ગોશ્રી એવી તો ભારે લજ્જાને પામી કે-તેના યોગે તેણીનું હૃદય ધસ દઇને ફુટી ગયું અને હૃદય ફૂટવાથી તેણી મૃત્યુ પામી. આથી એકદમ ઘરમાં હાહાકાર મચી ગયો. એ હાહાકારને સાંભળીને વિજ્યશ્રેષ્ઠી પણ ત્યાં આવ્યા અને અચાનક ગોશ્રીનું મૃત્યુ શાથી થયું -તેની તપાસ કરતાં, તેમણે સાચી હકીકત જાણી એ જાણીને તેમને ખૂબ જ વિષાદ થયો અને દુ:ખથી તે ઝુરવા લાગ્યા. તેમને લાગ્યું કે- ‘આ મારો જ દોષ છે હું ગંભીરતાજાળવી શક્યો નહિ, તેનું જ આ ફલ છે. ખરેખર, હું ખૂબ જ તુચ્છ આશયનો માણસ છું.' આમ તે પશ્ચાતાપ કરવા લાગ્યા. પછી પોતાની પત્નીના
SR No.023107
Book TitleChaud Gunsthanak Part 01 Gunsthanak 1
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy