SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ હેતુથી એક પત્ની આવું કારમું અકાર્ય આચરે, એ સામાન્ય દ્રષટિએ ક્ષન્તવ્ય ન જ ગણાય. સામાન્ય દ્રષ્ટિએ તો આ કાર્ય અક્ષન્તવ્ય જ ગણાય અને એ માટે સખ શિક્ષા કરવાની તૈયારી થાય : પણ વિજ્ય, એ કોઇ સામાન્ય વ્યક્તિ નથી. વિજ્ય તો ક્ષમાના મર્મને પામેલો છે. એ જ કારણે, તેના અન્તરમાં આવા પ્રસંગે પણ ક્રોધ ઉત્પન્ન થતો નથી. આ બનાવને અનુલક્ષીને વિજ્ય તો પોતાના આત્માને જ હિતશિક્ષા દેવા માટે તત્પર બને છે અને પોર્તાના જીવને ઉદ્દેશીને તે ચિન્તવે છે કે “હે જીવ ! તેણીના ઉપર તું રોષ ન કર અને રોષ કરીને દેહનો શોષ ન કર !” આટલું સમજાવીને જ વિજ્ય અટકતો નથી, પણ પોતાના તે વિચારને પુષ્ટ કરવાને માટે, એ પોતાના આત્માની સાથે વાત કરતાં પોતાના આત્માને કહે છે કે “સત્વો પુર્વાશ્વાનં, ઝ્માનું પાવણ લવિવાનું । ત્રવાહેતુ ગુÒસુ ય, નિમિત્તમિમાં પરો હોફ |1911" “નફ સિ દ્રોસવંતે, તા તુહ તોડ઼ હો વયસો | अह न खमसि तो तुह अवि, सया अखंतोह वावारा ||२||" “હે જીવ ! સર્વ કોઇ પૂર્વે પોતે જ કરેલા કર્મોના ફલ વિપાકને પામે છે અને અપરાધોમાં કે ગુણોમાં પર તો નિમિત્ત માત્ર જ હોય છે : વળી જો તું દોષવંતોને ખમે, તો જ તારે માટે ક્ષમાનો અવકાશ છે : પણ જો તું દોષવંતો ઉપર ક્ષમા નહિ કરે, તો તારા માટે પણ સદાય અક્ષમાનો જ અવકાશ છે.” વિજ્યના આવા ઉમદા વિચારો, એ ઉપાધ્યાયના વચનનો હિતકર તરીકે તેણે કરેલો જે સ્વીકાર, તેને જ આભારી છે. ‘આત્મહિતના અથિએ ક્ષમાપ્રધાન બનવું જોઇએ.' -આ હિતશિક્ષા સાચી આસ્તિકબુધ્ધિએ સ્વીકારાય, તો જ ભયંકર ક્રોધ ઉત્પન્ન કરનારા પ્રસંગે પણ કલ્યાણકારી ક્ષમાનું આસેવન થઇ શકે. અન્યથા, ભયંકર ક્રોધ આવે એવા પ્રસંગે
SR No.023107
Book TitleChaud Gunsthanak Part 01 Gunsthanak 1
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy