________________
૧૨૦
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ભવ્ય સ્વભાવવાળા સર્વ જીવોને માટે પણ એમ કહી શકાય નહિ કે-એવા આત્માઓ એક પુરૂષાર્થ વિના જ સંસારમાં રૂલે છે અને કાલાદિની કાંઇ જ કિંમત નથી. ભવ્ય સ્વભાવવાળા, એટલે પોતાના સંસારકાળના અન્તને અથવા તો મોક્ષને પામવાની સ્વભાવસિદ્ધ લાયકાતવાળા જીવોના પણ ભિન્ન ભિન્ન અપેક્ષાએ ત્રણ વિભાગો પાડવામાં આવ્યા છે. ભવ્ય, દુર્ભાવ્ય અને જાતિભવ્ય. જે જીવો પોતાના સંસારકાલના અન્તિમ પુદુગલપરાવર્તન પામેલા હોય, તે ભવ્ય; જે જીવો પોતાના સંસારકાલના અન્તને અવશ્ય પામવાના હોય પણ હજુ જેઓ પોતાના સંસારકાલના અન્તિમ પુદ્ગલપરાવર્તને ન પામ્યા હોય, તે દુર્વ્યવ્ય; અને જે જીવો પોતાના સંસારકાલના અન્તને પામવા જોગા સ્વભાવને ધરનારા હોય તે છતાં પણ જે જીવો પોતાના સહજ તથાભવ્યત્વાદિ ભાવથી ધર્મની સામગ્રીને કદિ પણ પામવાના નથી અને તેથી જેઓ કદિ પણ પોતાના સંસારકાલના અન્તને પામવાના જ નથી તે જાતિભવ્ય.
સ. એવા પણ જીવો ખરા કે જેઓ મુક્તિગમન-યોગ્યત્વ સ્વરૂપ સ્વભાવવાળા હોય, તે છતાં પણ તેઓ કદિ જ મોક્ષને પામે નહિ !
હા, એવા જીવો પણ ખરા. તેવા પ્રકારની તે જીવોની ભવિતવ્યતાના વશથી, તે જીવોને કોઇ પણ કાલે ધર્મસામગ્રીની પ્રાપ્તિ જ થતી નથી. ભવ્યત્વ સ્વભાવવાળો આત્મા ધર્મસામગ્રીને પામે અને તે પછી તે કોઇ પણ કાળે મોક્ષને પામે નહિ એવું તો બને જ નહિ.
સ. એટલે જે કોઇ જીવો ધર્મસામગ્રીને પામ્યા હોય, તે જીવોમાં જેઓ અભવ્ય ન હોય, એવા જીવો તો નિયમા મોક્ષને પામવાના એમ જ ને ?
હા, નિયમ એવો જ છે કે-સ્વભાવે ભવ્ય એવો આત્મા જો ધર્મસામગ્રીને પામે, તો એ જીવ કોઇ પણ કાળે મોક્ષને પામે જ નહિ, એવું બને જ નહિ !
સ.
ભવ્યત્વ સ્વભાવવાળા હોઇએ તો ધર્મસામગ્રી મળે એટલે