SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ શાસ્ત્રાનુસારી નહિ હતું. એમાં બાહાશુદ્ધિ જરૂર હતી, પણ જવી જોઇએ તેવી આત્તરશુદ્ધિ નહોતી. જો વી જોઇએ તેવી આત્તરશુદ્ધિ હોય તો તો એ અનુષ્ઠાન અનબન્ધશુદ્વ અનુષ્ઠાનની કક્ષામાં જ જાય, પણ સમ્યજ્ઞાનાદિના અભાવમાં તેવી આન્તરશુદ્વિ સંભવતી નથી. આ વાતને શાસકાર પરમષિઓએ કુરાજાના દ્રષ્ટાત્તથી પણ સમજાવી છે. માનો કેનગરનું રક્ષણ કરવાને માટે નગરને ફરતો સારો કિલ્લો છે. એ કિલ્લાને ભેદીને દુશ્મનો નગરનો કન્જો લઇ શકે તેમ નથી. આવું સુરક્ષિત નગર પણ સર્વથા ઉપદ્રવરહિત કયારે રહી શકે? નગરનો રાજા સારો હોય તો જ ! જો નગરનો રાજા સારો ન હોય, તો નગરજનોને લૂંટારા આદિનો ઉપદ્રવ વેક્વો પડે. યમ-નિયમાદિ એ કિલ્લો છે, સમ્યજ્ઞાનાદિ એ સારા. રાજાના સ્થાને છે અને સચજ્ઞાનાદિનો અભાવ એ કુરાજાના રાજ્ય જેવો છે જેમ નગરને કિલ્લો હોવાથી નગરને બાહા શત્રુઓથી રક્ષણ તો મળે, પણ કુરાજાનું રાજ્ય હોય એટલે આન્તરિક ઉપદ્રવો આવે એટલે પરિપૂર્ણ રક્ષણ મળ્યું એમ કહેવાય નહિ, તેમ તેવા પ્રકારના સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાનથી કષાયાદિના નિરોધ રૂપ દોષનિગમ ન જ થાય એમ નહિ, કષાયાદિના નિરોધ રૂપ દોષનિગમ જરૂર થાય, પણ તે દોષવિગય આત્મત્તિક પ્રકારનો નથી થતો. એ અનુષ્ઠાનમાં ગુણની ગુરુતાને અને દોષની લઘુતાને વિષય કરનારી વાસ્તવિક કોટિની ચિંતા હોઇ શકતી નથી. અનુબન્ધશુદ્ધ નહિ એવા સ્વરૂપશુદ્વ અનુષ્ઠાનમાં બાહા દોષ નહિ હોવા છતાં પણ તેને આચરનારો આત્મા વાસ્તવિક કોટિના તત્ત્વજ્ઞાનથી વિકલ હોવાને કારણે, એ અનુષ્ઠાન શ્રેષ્ઠ કોટિની ગુણવૃદ્ધિને પમાડી શકતું નથી. અજ્ઞાનદોષ એમાં ઉપઘાત કરનાર છે. સારું પણ અનુષ્ઠાન અજ્ઞાનને અર્ને અજ્ઞાનની નિશ્રામાં રહેનારને તેવું ઉપકારક નિવડી શકતું નથી. અનુબન્ધશુદ્ધ અનુષ્ઠાન : આ બે અનુષ્ઠાનોના વિવરણ ઉપરથી અને પાસ કરીને સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાનના વિવરણ ઉપરથી અનુબધશુદ્વ અનુષ્ઠાન કેવા પ્રકારનું હોઇ
SR No.023107
Book TitleChaud Gunsthanak Part 01 Gunsthanak 1
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy