SearchBrowseAboutContactDonate
Page Preview
Page 626
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિશતિસ્થાનકપ્રદીપિકા ] ૫૩ પઢવીને પામે છે.” આવું ગુરૂનું વચન સાંભળી હરિવાહન મુનિએ એવા અભિગ્રહ કર્યો કે ‘ આજથી મારે દરાજ ઉત્તમ અન્નપાનાદિ લાવી આપીને મુનિએની ભક્તિ કરવી. તેમાંથી જે ખાકી રહે તેજ વાપરવું' આવા પ્રકારને અભિગ્રહ કરી હુ ંમેશાં મુનિએની ભાજન, ઔષધાદિક વડે ભક્તિ કરવા લાગ્યા. એક વખતે ઇન્દ્ર મહારાજે રિવાહન મુનિની સાધુકિત કરવામાં ઘણી લાગણી જોઇને તેમની પ્રશંસા કરી. તે વચન ઉપર શંકા લાવી સુવેલ નામે દેવ મુનિની પરીક્ષા કરવા માટે માયાવી સાધુનું રૂપ કરીને શ્રીપુર પત્તનમાં જ્યાં રિવાહન મુનિ હતા ત્યાં તપસ્યાથી દુળ શરીરવાળા બનીને પારણું કરવા આવ્યા. તે વખતે પેાતાને વાપરવાને જે આહાર હતા તે માયાવી સાધુને આપ્યા. પેાતે ક્રીથી વહેારો લાવીને ગુરૂ પાસે આલેાચીને સજ્ઝાય કરી વાપરવા બેઠા. તે વખતે તે માયાવી ધ્રુવે રિવાહન મુનિના દેહમાં અત્યન્ત દુ:સહ વેદના ઉત્પન્ન કરી. તે વેદના જોઇને ગુરૂ વગેરે ખેદ પામ્યા. વૈદ્ય બતાવ્યા પ્રમાણે કાઇ ગૃહસ્થના ઘરમાંથી અમુક દવા લાવી મુનિને વાપરવા કહ્યું, પણ મુનિએ તે વાપર્યું નહિ. ગુરૂએ તેનું કારણ પૂછ્યું, ત્યારે મુનિએ વિનય પૂર્વક કહ્યુ કે, ભલેને આથી અનંત ગણી વેદના થાય તેા પણ કાઇ સુપાત્ર સાધુને આ દવા દીધા સિવાય મારાથી વપરાય નહિ. કદાચ પ્રાણ જાય તે ભલે જાય પણ અન્ય મુનિને આપ્યા સિવાય હું લઉં તે મારા નિયમના ભંગ થાય માટે ગમે તેટલી વેદના ભલે ૩૮
SR No.023104
Book TitleVairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1941
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy