SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯ વિના કષાયોનો ત્યાગ સર્વથા દુર્લભ છે. આત્માના પ્રત્યેક પ્રદેશમાં ચોટેલા કષાયોના પરમાણુઓને દૂર કરવા માટે દુનિયા ભ૨ના મંત્રો, તંત્રો કે તાત્રિકો પણ કમ આવવાના નથી. માટે કષાયોના કારણે સેકડે સેંકડે ચંચલ બનતા આત્માને યોગ ભૂમિકા પ્રાપ્ત કરાવવીજ હોય તો ઈન્દ્રિયોના મારણ, તાડન, તર્જન કે તેમનું દમન કર્યા વિના કષાયોને જીતવા માટે બીજે માર્ગ કોઈની પાસે પણ નથી. (૩) પાંચેઈન્દ્રિયોના કામભોગોને સર્વથા શકતહીન જ કરવા હોય તો. મનનું પવિત્રી ક૨ણ સર્વથા અનિવાર્ય છે. અને તે માટે બારભાવના તથા ચા૨ ભાવનાઓનું અવલંબન, ચિંતવન, મનન જ રાજમાર્ગ છે. ઉપર પ્રમાણેની પ્રક્રિયાઓમાં અણીશુદ્ધ પાસ થયા વિના, વિપશ્યનાનું ધ્યાન કે કુંડળનીને જાગૃત કરવા માટેના હાફા મારવામાં જીવન બ૨બાદ કરવાનું કંઈ અર્થ નથી. ચિત્તને (ગુપ્ત મનને) સ્થિ૨ ક૨વા માટે અથવા બે ઘડી માટે પણ સ્થિ૨ ક૨વાના બે જ માર્ગ છે. (૧) ઈન્દ્રિયો અને કષાયોની અપ્રશસ્તાને લઈ નૂતન પાપો પ્રતિ સેકંડ આવી રહ્યા છે. તેને શેકી લેવા. (૨) સ્વાધ્યાય દેવ કે ગુરૂ વન્દન, કાર્યોત્સર્ગ આદિથી જૂના પાપોને ખંખેરી નાખવા. ઉપ૨ પ્રમાણેની બને ક્રિયાઓનું અવલંબન જ મોક્ષ
SR No.023100
Book TitleAnuyogdwar Sutra
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_anuyogdwar
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy