SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૯ અને સ્પર્શ બે સમજવા. આમાંથી એક પ૨માણ રૂક્ષ હોય અને બીજનિગ્ધ હોય. તેવા પરમાણુઓ અનંત આકાશમાં ફરતાં જયારે ભેગા થાય ત્યારે દ્વયણુક, ચણક આ પ્રમાણે સંપેય, અસંખ્યય પરમાણુઓનો સ્કન્ધ બની જાય છે. પર્યાયનો અર્થ ચારે તરફથી કોઈક સમયે દ્રવ્યથી છૂટો પડે, કોઈક સમયે પાછો ભેગો થાય તે પર્યવ પર્યાય છે. અથવા ચારે તરફથી વસ્તુત્વ, પદાર્થત્વને પ્રાપ્ત થાય. તે પર્યાય છે. યદ્યપિ ‘કવ્યાશ્રયા ગુપm: ગુણમાત્ર દ્રવ્યની સાથે જ રહે છે. તેમ પર્યાયો પણ દ્રવ્યને છોડતાં નથી. તો પણ તેમાં ભેદને બતલાવતાં ટીકાકા૨ ફ૨માવે છે કે ગુણો, અલ્પાંશે કે અવશે દ્રવ્યોની સાથે જ રહે છે. આત્મા ચાહે સૂક્ષ્મ બાદ૨, પર્યાપ્ત, અપર્યાપ્ત રૂપે નિગોદમાં ૨હે કે સર્વાર્થ શિદ્ધવિમાનમાં વિશ્રામ કરે અથવા અનન્ત સુખોના સ્થાન સિદ્ધશિલામાં સ્થિર થાય તો પણ જ્ઞાન ગુણ આત્માની સાથે જ ૨હેશે. જયારે પર્યાયો આયારામ, ગયારામની જેમ આવતાએ અને જાતાએ પણ વાર નથી કરતાં. સુવર્ણદ્રવ્યમાં ૨હેલ પીળાપણુ જેમ છે તેમનું તેમ ૨હેશે જયારે પર્યાયમાં કોઈક સમયે બંગડી બીજા સમયે કંધેશ આદિના કારણે ફે૨ફા૨ થતાં સુવર્ણ પણ પર્યાયોના નામે સંબોધાશે. જીવાત્મામાં ચૈતન્ય અમૂર્તત્વ અને જ્ઞાનાદિ ગુણો સહવર્તી છે અને ના૨કદ પર્યાયો ક્રમવર્તી છે એટલે કે જીવ જયારે
SR No.023100
Book TitleAnuyogdwar Sutra
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_anuyogdwar
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy