________________
૧૪૯ આયુષ્ય પામનો આઠમો ભાગ છે. એટલે પોપમના અસંખ્યાતમા ભાગ કરતાં ઘણું જ વધારે છે, માટે તેમાં સમૂચ્છિમ તિર્યંચો ઉપજતા નથી. . જીવ ક્યાં કારણોથી ભવનપતિમાં ઉપજે. બાલત પડિબદ્ધા, ઉક્કડસા તવેણ ગારવિયા વેરેણુ ય પડિબદ્ધા, મરિઉં અસુરેસ જયંતિ. ૧૫૦ બાલવેઅજ્ઞાન તપમાં. | વેણુવૈરમાં. પડિબદ્ધા-આસક્ત. પડિબદ્ધા-આસક્ત. ઉક્કડસા–ઉત્કૃષ્ટ રેષ
મરિઉં-મરીને. - વાળા. તણ-તપવડે.
અસુરે સુ-અસુરકુમારમાં. ગારવિયા–અહંકાર કરનારા. | જાયંતિ-જાય છે.
શબ્દાર્થ––૧. અજ્ઞાન તપમાં આસક્ત, ૨. ઉત્કૃષ્ટ રેષવાળા, ૩. તપે કરીને અહંકાર કરનારા, ૪. વૈર લેવામાં આસક્ત (જી) મરીને અસુરકુમારાદિકમાં ઉત્પન્ન થાય છે.
વિવેચન--અરિહંત ભગવાનની આજ્ઞા રહિત, તત્વ જ્ઞાને શૂન્ય તે બાલ એટલે મિથ્યાત્વી, તેનું જે પંચાગ્નિ પ્રમુખ તપ તે ઘણું જીવનું ઘાતકારી છે તેવા તપને વિષે (કમઠની જેમ) આસક્ત, તપસ્વી થયા થકાં ઉત્કૃષ્ટ રોષને ધરનારા, તપસ્યા કરીને અહંકાર કરનારા, અને દ્વૈપાયને જેમ નિયાણું કરીને અગ્નિ કુમારમાં ઉત્પન્ન થઈને દ્વારકા નગરી બાળી હતી, તેમ કેઈક જીવની સાથે વૈર લેવામાં આસક્ત છ મરીને અસુરકુમાર (ભવનપતિની ૧૦ નિકા) માં ઉત્પન્ન થાય છે.