SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ કર્મગ્રંથ-૬ એમ કુલ ૫ + ૯ + ૯ + ૫ = ૨૮ સંવેધભાંગા થાય છે. જીવસ્થાને મોહનીય કર્મના ભાંગા અકસુ પંચસુ એગે, એગ દુર્ગા દસ ય મોહ બંધ ગએ, તિગ ચઉ નવ ઉદયગએ, તિગ તિગ પત્તરસ સંતમિ ૪ol. ભાવાર્થ - ૮ - ૫ અને ૧ જીવસ્થાનકને વિષે અનુક્રમે ૧- ૨ - ૨ ૧૦ મોહનીય કર્મના બંધસ્થાનો હોય છે. ૩-૪ અને ૯ ઉદયસ્થાનો હોય છે. ૩ - ૩ અને ૧૫ સત્તાસ્થાનો હોય છે. ૪oll વિશેષાર્થ - જીવસ્થાનકને વિષે મોહનીય કર્મના સંવેધભાંગાઓનું વર્ણન ૧૪ જીવસ્થાનકને વિષે મોહનીય કર્મના બંધસ્થાનોનું વર્ણન. સૂક્ષ્મ અપર્યાપ્તા, સૂક્ષ્મ પર્યાપ્તા એકેન્દ્રિય આ બે જીવભેદને વિષે ૧, ૨૨ પ્રકૃતિનું બંધસ્થાન હોય છે. બાદર અપર્યાપ્તા એકેન્દ્રિય, વિકસેન્દ્રિય અપર્યાપ્તા, અસંશી પંચેન્દ્રિય અપર્યાપ્તા, સંજ્ઞી પંચેન્દ્રિય અપર્યાપા આ ૬ જીવભેદને વિષે મોહનીય કર્મનું ૧, ૨૨ પ્રકૃતિનું બંધ સ્થાન હોય છે. - અત્રે સંશી પંચેન્દ્રિય અપર્યાપ્તા લબ્ધિઅપર્યાપ્તા જીવો જાણવા, બાદર અપર્યાપ્તા એકેન્દ્રિય, વિકલેન્દ્રિય પર્યાપ્તા, અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તા. આ પાંચ જીવભેદને વિષે મોહનીયકર્મના બે બંધસ્થાન હોય છે. ૨૨ - ૨૧ પ્રકૃતિનું સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તા જીવને વિષે મોહનીયકર્મના દશેદશ બંધસ્થાનો હોય છે. ૧૪ જીવસ્થાનકને વિષે મોહનીયકર્મના ઉદયસ્થાનોનું વર્ણન. સૂક્ષ્મ અપર્યાપ્તા એકેન્દ્રિય, સૂક્ષ્મ પર્યાપ્તા એકેન્દ્રિય આ બે જીવભેદ વિષે મોહનીયકર્મના ૩ ઉદયસ્થાનો હોય છે. (૮ - ૯ - ૧૦) * બાદર અપર્યાપ્તા એકેન્દ્રિય, વિકસેન્દ્રિય અપર્યાપ્તા, અસંશી પંચેન્દ્રિય અપર્યાપ્તા, સંજ્ઞી પંચેન્દ્રિય અપર્યાપા આ ૬ જીવભેદને વિષે મોહનીય કર્મના ત્રણ ત્રણ ઉદયસ્થાનો હોય છે. (૮ - ૯ - ૧૦) બાદર પર્યાપ્તા એકેન્દ્રિય, વિકલેન્દ્રિય પર્યાપ્તા, અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તા
SR No.023081
Book TitleKarmgranth 6 Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1996
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy