________________
ર્મગ્રંથ-૪
୪୪
જેટલી પર્યામિ કહેલી હોય ત્યાં સુધી અથવા શરીર પર્યાપ્તિથી પર્યાપ્ત ન થાય ત્યાંસુધી ઔદારિકમિશ્નકાયયોગ હોય છે. પર્યાપ્તા જીવોને ઔદારિકકાયયોગ હોય છે.
ઉપયોગ - ૩ (૧) મતિઅજ્ઞાન (૨) શ્રુતઅજ્ઞાન (૩) અચક્ષુદર્શન.
લેશ્યા – ૪ કૃષ્ણ, નીલ, કાપોત અને તેજો.
-
જ્યોતિષિ અને વૈમાનિકના પહેલા, બીજા દેવલોકના દેવો પહેલું કે બીજું ગુણસ્થાનક લઈને બાદર અપર્યાપ્તા અકાયમાં ઉત્પન્ન થાય ત્યારે તથા કેટલાંક ભવનપતિ, વ્યંતરના દેવો તેજોલેશ્યા લઈને અકાયમાં ઉત્પન્ન થાય ત્યારે શરીર પર્યાપ્તિથી પર્યાપ્ત ન થાય ત્યાં સુધી તેોલેશ્યા હોય છે. તેઉકાય = જીવભેદ = ૪. (૧) સૂક્ષ્મઅપર્યાપ્તાએકેન્દ્રિય (૨) સૂક્ષ્મ પર્યામાએકેન્દ્રિય (૩) બાદરઅપર્યાપ્તાએકેન્દ્રિય (૪) બાદ૨૫ર્યામાએકેન્દ્રિય. ગુણસ્થાનક ૧. મિથ્યાત્વ.
=
યોગ - ૩. (૧) કાર્યણકાયયોગ (૨) ઔદારિકમિશ્રકાયયોગ અને (૩) ઔદારિકકાયયોગ.
વિગ્રહ ગતિમાં કાર્યણકાયયોગ હોય છે. જ્યાં સુધી જેટલી પર્યાપ્તિઓ કહેલી છે તે પૂર્ણ ન થાય ત્યાં સુધી અથવા શરીરપર્યાપ્તિથી પર્યાપ્તો ન થાય ત્યાં સુધી ઔદારિકમિશ્રકાયયોગ હોય છે. પર્યાપ્તા જીવોને ઔદારિકકાયયોગ હોય છે.
ઉપયોગ = ૩ (૧) મતિઅજ્ઞાન (૨) શ્રુતઅજ્ઞાન (૩) અચક્ષુદર્શન. લેશ્યા = ૩ (૧) કૃષ્ણ (૨) નીલ (૩) કાપોત
૧. આ જીવો કિલષ્ટ પરિણામી હોવાથી શુભલેશ્યા હોતી નથી. ૨. ચારે નિકાયના દેવતાઓ ઉત્કૃષ્ટ સંકિલષ્ટ અધ્યવસાયમાં એકેન્દ્રિયપણાને લાયક પ્રકૃતિઓનો બંધ કરે છે. છતાં પણ કિલષ્ટ પરિણામ ન હોવાથી તથા સ્વભાવથી તેઉકાય અને વાઉકાયને લાયક પ્રકૃત્તિઓનો બંધ કરતાં નથી.
૪. વાઉકાય = જીવભેદ - ૪. (૧) સૂક્ષ્મઅપર્યાપ્તાએકેન્દ્રિય (૨) સૂક્ષ્મ પર્યામાએકેન્દ્રિય (૩) બાદરઅપર્યાપ્તાએકેન્દ્રિય (૪) બાદ૨૫ર્યામાએકેન્દ્રિય.