SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ૭૮. ઉ ૭૯. ઉ ૮૦. ૯. ૮૧. ૮૨. ઉ ૮૩. કર્મગ્રંથ-દ ગણાય છે. બીજો ભાગ એક અંતર્મુહૂર્તના કાળ પ્રમાણ વિભાગ કરે છે અને ત્રીજો અંતઃ કોટાકોટી સાગરોપમના કાળ વાળો ત્રીજો વિભાગ હોય છે. અનિવૃત્તિકરણના કેટલા ભાગ પછી (ગયે છતે) જીવ શું કાર્ય કરે ? અનિવૃત્તિકરણના સંખ્યાતા ભાગ ગયે છતે બીજી સ્થિતિમાં રહેલા મિથ્યાત્વના દલિકોનો તે સ્થિતિમાંથી સદંતર નાશ કરવા(ખાલી કરવા) પ્રયત્ન કરે છે. બીજી સ્થિતિમાં રહેલ મિથ્યાત્વના દલિકોને ખાલી કરવા કેવા પ્રયત્નો વિશેષ પ્રાપ્ત કરે ? બીજી સ્થિતિમાં રહેલા મિથ્યાત્વના દલિકો કે જેની સ્થિતિ ઘટાડીને પહેલી સ્થિતિમાં આવે એવા હોય તેને પહેલી સ્થિતિમાં લાવી લાવીને ભોગવી ભોગવીને નાશ કરે છે. તથા જે દલિકોની સ્થિતિ ઘટે એવી ન હોય તે દલિકોની સ્થિતિ વધારી વધારીને ત્રીજી અંતઃકોટા કોટી સાગરોપમની સ્થિતિમાં નાંખે છે. ત્રીજી સ્થિતિમાં દલિકો નખાય તેને શું કહેવાય ? સ્થિતિ વધારી ત્રીજી સ્થિતિ જેવા બનાવવા તે ઉર્તનાકરણ કહેવાય છે. આ કાર્ય કેટલા કાળ સુધી ચાલે ? અનિવૃત્તિકરણ કાળની છેલ્લી બે આવલિકાકાળ ભોગવવાનું બાકી રહે ત્યાં સુધી આ કાર્ય થાય છે. બે આવલિકાકાળ બાકી રહેતાં શું કાર્ય થાય ? તેને શાસ્ત્ર પરિભાષાથી શું કહેવાય છે ? જ્યારે વચલી સ્થિતિમા રહેલા દલિકોને ખાલી કરતા કરતા બે આલિકા કાળ બાકી રહે ત્યારે વચલી સ્થિતિમાંથી ત્રીજી સ્થિતિમાં નાખવા લાયક એટલે સ્થિતિ વધારવા લાયક કોઈ દલિક રહેતું ન હોવાથી ત્રીજી સ્થિતિમાં દલિકો નાખવાનું કાર્ય બંધ થાય છે આને શાસ્ત્ર પરિભાષામાં આગાલ વિચ્છેદ કહેવાય છે. એક આવલિકા કાળ બાકી રહે શું કાર્ય થાય ? તેને શાસ્ત્ર પરિભાષા થી શું કહેવાય છે ?
SR No.023049
Book TitleKarmgranth 6 Prashnottari Part 07 08
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages144
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy