SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ કર્મગ્રંથ-૬ ૨૪. અનંતાનુબંધિ ચાર કષાયના ક્ષય માટે શું શું પદાર્થો કરે? ત્રણ પદાર્થો કરે છે, ૧. યથાપ્રવૃત્તકરણ, ૨. અપૂર્વકરણ, ૩. અનિવૃત્તિકરણ - ૨૨૫. આ ત્રણ કરણોમાં શું પ્રવૃત્તિ કરે? કોની જેમ? અનંતાનુબંધિની વિસંયોજના (ક્ષપણા) ની જેમ અત્રે ત્રણે કરણોમાં અધ્યવસાયની વિશુધ્ધિ કરતાં કરતાં જીવો અનંતાનુબંધિ ચાર કષાયના દલિકોનો ક્ષય કરે છે. દર્શનસિક ક્ષપના (ક્ષય) વર્ણન રર૬. મિથ્યાત્વ મોહનીયને ખપાવવા માટે જીવો કેટલા કરણ કરે? કયા? ઉ ત્રણ કરણો કરે છે. ૧. યથાપ્રવૃત્તકરણ, ૨. અપૂર્વકરણ, ૩. અનિવૃત્તિકરણ ૨૨૭. આ ત્રણ કરણોનું વર્ણન કઈ રીતે જાણવું? પૂર્વ અનંતાનુબંધિની વિસંયોજના પ્રમાણે ત્રણ કરણોનું વર્ણન જાણવું ૨૨૮. અપૂર્વકરણ અધ્યવસાયમાં વિશેષમાં શું કાર્ય કરે? વિશેષતા એ છે કે અપૂર્વ કરણના પહેલા સમયે અનુદિત મિથ્યાત્વ અને અનુદિત મિશ્ર મોહનીયનાં દલિકોને ઉદિત સમ્યકત્વ મોહનીયને વિષે ગુણ સંક્રમવડે નાંખે છે. ૨૨૯, મિથ્યાત્વ-મિશ્ર મોહનીયનો અપૂર્વકરણ અધ્યવસાયમાં જીવ સાથે સાથે શું કરે? અપૂર્વકરણ અધ્યવસાયમાં તે વખતે મિથ્યાત્વ-મિશ્ર મોહનીયનો ઉદ્ધવનાસંક્રમ પણ કરે છે. ૨૩૦. ઉદ્ધલના સંક્રમ કોને કહેવાય? પહેલા સ્થિતિખંડ મોટા ઉવેલે, બીજા સમયે બીજો સ્થિતિખંડ વિશેષહીન રૂપે ઉવેલે, તેનાથી ત્રીજા સમયે ત્રીજો સ્થિતખંડ વિશેષહીન રૂપે ઉકેલે એમ અપૂર્વ કરણના છેલ્લા સમય સુધી વિશેષહીન વિશેષહીન રૂપે ઉવેલના કરે છે. ૨૩૧. આ પ્રયત્ન વિશેષથી અપૂર્વ કરણમાં શું કાર્ય થાય? ઉ
SR No.023049
Book TitleKarmgranth 6 Prashnottari Part 07 08
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages144
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy