________________
નિવેદન
નજીકના ભૂતકાળમાં એટલે કે વૈશાખ સુદી-૭ને ગુરૂવાર તા. ૨૫-૪-૧૯૯૬ના રોજ જેઓને તૃતીય પદ (આચાર્યપદ)થી વિભૂષિત કરવામાં આવ્યા તે પરમપૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય નરવાહનસૂરિશ્વરજી મહારાજા સાહેબનું, આચાર્યપદ પછીનું આ પહેલું પુસ્તક પ્રકાશીત કરતાં અમે ગૌરવ અનુભવીએ છીએ. પ્રશ્નોત્તરી વિભાગના ૨૩ મા પુસ્તક તરીકે કર્મગ્રંથ-૬ ભાગ-૬ પ્રકાશીત થાય છે. છઠ્ઠા કર્મગ્રંથના ૧ થી ૫ ભાગ પ્રકાશીત થઈ ચૂકયા છે અને તેમાં કર્મગ્રંથ-૬ અંગેની સામાન્ય વાત કરેલ હોવાથી અત્રે કોઈ નિવેદન કરવા જેવું રહેતું નથી. ફક્ત એટલું જ કહેવું છે કે આ છઠ્ઠા ભાગમાં જોરદાર ગણિત વિભાગ હોઈને ધ્યાનપૂર્વક તેનું વાંચન જરૂરી છે.
આ પુસ્તક પ્રકાશનનો સંપૂર્ણ લાભ જે એક સગૃહસ્થ પરિવારે લીધો છે તેઓને ધન્યવાદ આપીએ છીએ અને તેઓની આ ભાવનાની ખૂબ અનુમોદના કરીએ છીએ.
એજ લી. પદાર્થ દર્શન ટ્રસ્ટના
ટ્રસ્ટીઓ