________________
શંબર કે જે દાનવ છે તેને અસુર-શંબરાસુર કહ્યો છે; શ્લોક ૧૧૬માં, હયગ્રીવને દૈત્ય કહ્યો છે. પણ આગળ જતાં, શ્લોક. ૧૧૭માં હયગ્રીવને જ દાનવાધિપતિ કે દાનવ-રાજ કહ્યો છે. આ બંને શ્લોકો ‘હયગ્નીવવધ’કાવ્યમાંથી લીધેલા છે. એટલે, એક જ કાવ્યમાં, હયગ્રીવને દૈત્ય તથા દાનવ કહ્યો છે; છેલ્લા ઉદાહરણ (શ્ર્લોક ૧૧૮)માં બધા જ દૈત્યો તથા દાનવોને અસુર કહ્યા છે : ‘આ મહાસુરોના સમાજમાં એવો એક પણ અસુર નથી જેની છાતી ઇન્દ્રના વજાના પ્રહારથી થયેલા ઘાથી શોભતી નથી.’ આમ, યુગભેદ, વંશભેદ, ગુણભેદથી જુદા દૈત્ય, દાનવ અને અસુરોને, કવિપરંપરાએ, એક જ બનાવી દીધા છે. આ અંગે બીજા પણ ભેદો કલ્પી શકાય છે - વમપિ ભેવા: અબ્યૂહ્યા: । આ શબ્દો સાથે દૈત્યાદિની એકતાની ચર્ચા પૂરી કરી છે. રાજશેખરની ‘કાવ્યમીમાંસા’ના સોળમા અધ્યાયમાં ‘પાતાલીય' કવિસમયોની ચર્ચા છે તેમાંથી દૈત્યાદિની એકતાની ચર્ચા, પ્રસ્તાવના તથા ઉદા. શ્લોકો સાથે, પૂરેપૂરી, ‘વિવેક’માં રજૂ થઈ છે એ સ્પષ્ટ છે.
અગાઉ નોંધ્યું છે તેમ રાજશેખરે ‘કાવ્યમીમાંસા’ના પંદરમા અધ્યાયમાં ગુણનિયમના શીર્ષક હેઠળ માણિક્યની રકતતા, પુષ્પોની શુકલતા અને મેઘોની કૃષ્ણતા દર્શાવીને, પછી, જુદા જુદા રંગોની એકતા વર્ણવવાના કવિસમયનું નિરૂપણ કર્યું છે તેની સાથે જ આંખનાં વિવિધરંગી વર્ણનોની, ચાર શ્લોકો લઈને, ચર્ચા કરી છે. પણ હેમચંન્દ્રાચાર્યે, ‘વૃત્તિ’ના છેડે, પરચુરણ કવિસંકેતોમાં જે ત્રણ દાખલા સમાવ્યા છે તેમાં પ્રથમ દાખલો છે - ‘ચક્ષુરાદેરનેકવર્ણોપવર્ણનમ્’ એટલે કે, કવિસમય અનુસાર, આંખોનું પણ કવિઓ અનેક રંગોમાં વર્ણન કરે છે. આંખોનું શ્વેત, શ્યામ, કૃષ્ણ અને મિશ્રરંગોમાં વર્ણન પ્રસ્તુત કરતા ચાર શ્લોકો (ઉદા. ૧૧૯, ૧૨૦, ૧૨૧, ૧૨૨), ગ્રંથકારે પ્રશિષ્ટ કાવ્યોમાંથી પસંદ કરી ‘વિવેક’માં રજૂ કર્યા છે. શ્લોક ૧૧૯માં આંખોની શુકલતાનું રસિક વર્ણન છે. ‘“સાંજના સમયે, એ સુલોચના સ્ત્રી, ઘરનાં માણસોથી ભરેલા આંગણાંમાં ઊભી હતી. અને, થાકેલાં અને આળસેલાં અંગોથી, એ સ્રીએ, સંકોચ તથા લાચારીથી મોઢું નીચે કરીને, સીધો અને લાંબો શ્વાસ લેતાં, મારા પર, પ્રેમથી ભીના તેમજ ચંદ્રની શ્વેતતાથી ચઢી જતા આંખનાં શ્વેત ખૂણાથી સુંદર દૃષ્ટિપાત કર્યો.’’ શ્લોક(૧૨૦)માં ‘રઘુવંશ’(૧૧.૯૩)નું પદ્ય રજૂ થયું છે. તેમાં, દશરથ રાજા, સીતા જેવી પુત્રવધુને લઈને, અયોધ્યા પાછા ગયા ત્યારે સીતાને જોવા તલપાપડ નગરના૨ીઓની આંખોવડે, મકાનોની બારીઓ નીલકમલ(કુવલયો)થી
૭૦