________________
નાખવામાં આવે તો તે ‘વિષયપરિવર્તન પ્રકારનો તુલ્યદેડિતુલ્ય છાયાનુકરણ પ્રકાર કહેવાય. ભાસના નાટક “સ્વપ્રવાસવદત્તમ્'ના ચોથા અંકમાં રાજા સાથે એકાંતમાં વાત કરતા વિદૂષક પર ભમરાઓ હુમલો કરે છે તે જ વસ્તુ લઈને, કાલિદાસે, પોતાના “શાકુન્તલમાં, કવના આશ્રમમાં દુષ્યન્તની ઉપસ્થિતિમાં શંકુતલા ઉપર ભમરાઓ હુમલો કરે છે તે ભ્રમરબાપનો રસિક પ્રસંગ યોજયો છે. બંને નાટકોનાં કથાવસ્તુ જુદાં છે પણ ભ્રમરબાધ એ જ છે તેથી રસિકો ચમત્કૃતિ અનુભવે છે. તુલ્યદેડિતુલ્ય ઢબે થતા છાયાનુકરણનો, બંને નાટકોમાં આવતો બ્રમરબાનો પ્રસંગ સરસ નમૂનો બની રહે છે. રાજશેખરે આ પ્રકારને સ્વીકાર્ય ગણ્યો છે. તુલ્યદેડિતુલ્યના આઠ પ્રકારની ચર્ચા સમાપ્ત કરતાં રાજશેખરે નોધ્યું છે કે – તા ફાસ્તુત્યેષ્ઠિતુત્ય પરિસંયો: “સોડમુવીનનુશાહો મા " રૂતિ સુરીનઃ | અર્થાત્ “આ છે “તુલ્યદેહિતુલ્ય' નામક અર્થહરણના (આઠ) પેટા-ભેદો. સુરાનંદનો મત છે કે આ પ્રતિભાનિર્મિત(તુલ્યદેડિતુલ્ય) માર્ગ, કવિઓ માટે સ્વીકાર્ય છે, ઉપકારક છે.” કહ્યું છે કે- સરસ્વતીદેવી, પ્રતિભાપ્રસાદથી, સામાન્ય શબ્દાર્થરૂપી રત્નને અમૂલ્ય અને ઉજ્જવલ બનાવી દે છે. આ પ્રકારને આનંદવર્ધને સંવાદના ત્રીજા પ્રકાર તરીકે માન્ય કર્યો છે એટલું જ નહીં પણ એ તુલ્યદેડિતુલ્ય પ્રકારને બહુ જ સરસ સંવાદ-પ્રકાર ગણ્યો છે: “તૃતીયં તુ प्रसिद्धात्म नान्यसाम्यं त्यजेत्कविः ।" तृतीयं तु विभिन्नकमनीयशरीरसद्-भावे सति ससंवादमपि काव्यवस्तु न त्यक्तव्यं कधिना । न हि शरीरीणान्येन सदृशोऽप्येक પતિ વિયેતે વમ્ ! (ધ્વ. આ. ૪.૧૩. તથા વૃત્તિ). સરસ્વતીની કૃપાથી કવિઓ સ્વપ્રતિભાબળે સામાન્ય વસ્તુને અમૂલ્ય બનાવી મૂકે છે એવા ભાવથી યુક્ત સુરાનંદનો રાજશેખરે ટાંકેલો શ્લોક, આનંદવર્ધન (ધ્વ. આ. ૧.૬)ના આ શબ્દોનું સ્મરણ કરાવે છે –
सरस्वती स्वादु तदर्थवस्तु निष्यन्दमाना महतां कवीनाम् ।
अलोकसामान्यमभिव्यनक्ति परिस्कुरन्तं प्रतिभाविशेषम् । આનંદવર્ધન, સંવાદના “પ્રતિબિંબકલ્પ,” “આલેખ્યપ્રખ્ય અને તુલ્યદેડિતુલ્ય” એ ત્રણ જ પ્રકાર વર્ણવે છે; “પરપુરપ્રવેશસદશનો ઉલ્લેખ કરતા નથી. રાજશેખરે જ સૌપ્રથમવાર પરુરપ્રવેશસદશ નામના ચોથા અર્થહરણના પ્રકારનો, નિદ્રુતયોનિ અર્થના બીજા ભેદ તરીકે સ્વીકાર કર્યો છે અને તેના આઠ પેટા-ભેદો નિરૂપ્યા છે(કા. મી. અ. ૧૨-૧૩).
A TI