________________
७०
ધ્વન્યાલોક ડો. એસ. કે. ડે મુજબ, “ધ્વન્યાલોકની નજરમાં, પોતે જાહેર કરેલાં બે લક્ષ્ય હતાં: (૧) ધ્વનિ સિદ્ધાંતની સ્થાપના અને પુરોગામી કે સમસમી સાહિત્યસંપ્રદાયોમાં તેનો સમાવેશ થતો નથી એનું નિર્દેશન કરવું. (૨) રસ, અલંકાર, રીતિ, ગુણ અને દોષના પ્રચલિત વિચારોનું પરીક્ષણ કરી ધ્વનિના વિચાર સાથે તેમનો પારસ્પરિક સંબંધ વિચારી લેવો અને આમ કાવ્યશાસ્ત્રનો પૂરો અને વ્યવસ્થિત સિદ્ધાંત વિકસાવવો.'
- તિ શ્રી -
9. Dr. S. K. De - "Hist - of Sanskrit Poetics." P-145.