________________
પ્રસ્તાવના
૫૧ રસના નિરૂપણમાં ઓછા સમાસો અને વીર, રૌદ્ર, વગેરે રસમાં અધિક સમાસો હોવા જોઈએ. પણ એથી વિપરિત પ્રકારનાં ઉદા. સંસ્કૃત સાહિત્યમાં પ્રાપ્ત થાય છે.
આનંદવર્ધને જ્યાં શૃંગારરસ હોય છતાં દીર્ઘ સમાસો હોય તેનાં બે ઉદા. આપ્યાં છે. “મન્નારસુપુતાત....ઈ.” અને “નવનતનયનાનિતનવમુષિત પત્રનેલું તનિષUUવિ રમિ ૪ ન સાપતિ ” તથા રૌદ્ર વગેરે રસમાં સમાસરહિત સંઘટના જોવા મળે છે. ઉદા. વેણીસંહાર અંક-૩માં આવતો શ્લોક -
જો ય શસ્ત્ર વિમર્સિ...ઈ.” તેથી ગુણ, સંઘટનાનું સ્વરૂપ નથી તથા તેઓ સંઘના પર આશ્રિત પણ નથી તસ્મત્ર સજદના સ્વરૂપ ન સકટનાશ્રયી ગુe /
આનંદવર્ધન ફક્ત અનિયત સંઘટનાને જ ગુણોનો આશ્રય માને છે.
ત્રણ પ્રકારની સંઘના સાહિત્યના વિવિધ સ્વરૂપોમાં કઈ રીતે જોવા મળે છે. તે સમજાવતાં આનંદવર્ધન કહે છે -
(૧) જ્યારે કવિ કે કવિનિબદ્ધ વક્તા નિયમપૂર્વક રસભાવથી યુક્ત હોય અને મુખ્ય રસને આશ્રયે હોવાને લીધે ધ્વનિનો આત્મભૂત જ હોય ત્યારે નિયમથી જ અસમાસવાળી કે મધ્યમસમાસવાળી સંઘટના અપેક્ષિત હોય છે.
(૨) કરુણ અને વિપ્રલંભ રસમાંતો અસમાસા સંઘટના જ હોય છે. જ્યારે મુખ્યતયા રસનું પ્રતિપાદન કરવાનું હોય ત્યારે તેની પ્રતીતિમાં વ્યવધાન નાખનાર વિરોધીઓનો બધી રીતે ત્યાગ કરવો જોઈએ. દીર્ઘસમાસા સંઘટના ક્યારેક રસપ્રતીતિમાં વ્યવધાન ઊભું કરે છે. એથી ખાસ કરીને નાટક વગેરે અભિનેયાર્થ કાવ્યમાં અને કરુણ, વિપ્રલંભ શૃંગારવાળા શ્રવ્ય કાવ્યમાં દીર્ઘ સમાસનો કવિએ આગ્રહ નહીં રાખવો જોઈએ. તે બન્ને અધિક સુકમાર હોવાને લીધે થોડી પણ અસ્વચ્છતામાં શબ્દ અને અર્થની પ્રતીતિ મન્થર થઈ જાય છે.
(૩) રૌદ્ર વગેરે બીજા રસમાં દીર્ઘસમાસવાળી સંઘના હોઈ શકે છે. તોપણ તે રસને હાનિ ન પહોંચાડે તે રીતે તેને પ્રયોજવી જોઈએ.
(૪) બધા પ્રકારની સંઘટનાઓમાં પ્રસાદ નામનો ગુણ વ્યાપક હોય છે. તે બધા રસોમાં અને સંધટનાઓમાં સાધારણ હોય છે. જો પ્રસાદ ગુણ ન હોય તો સમાસરહિત સંઘટના પણ કરુણ અને વિપ્રલંભને અભિવ્યક્ત કરતી નથી. પ્રસાદ ગુણ હોય તો મધ્યમ સમાસવાળી સંઘટના પણ કોમળ રસોને પ્રકાશિત કરે છે. તેથી બધે પ્રસાદગુણનું અનુસરણ કરવું જોઈએ.
(૫) વક્તા અને વાચ્યમાં રહેનાર ઔચિત્ય હોય તો પણ વિષયને આધીન એક બીજું ઔચિત્ય પણ સંઘટનાને નિયંત્રિત કરે છે. કાવ્યના આ પ્રમાણે ભેદ છે. સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશમાં નિબદ્ધ (૧) મુક્તક (૨) સન્દાનિતક (૩) વિશેષક (૪) કલાપક (૫) કુલક (5) પર્યાય બંધ (૭) પરિકથા (૮) સકલકથા (૯) સર્ગબંધ (૧૦) અભિનેયાર્થ (૧૧) આખ્યાયિકા (૧૨) કથા.