________________
૪૪
વન્યાલોક ૧૦. શબ્દશકિતમૂલ ધ્વનિ અને શ્લેષ ધ્વનિના એક પ્રકાર “સંલક્ષ્યમવ્યંગ્યના ત્રણ પેટા પ્રકાર છે. (૧) શબ્દશક્તિમૂલ (૨) અર્થશક્તિમૂલ (૩) ઉભયશક્તિમૂલ યાને શબ્દાર્થ શક્તિમૂલ.
જ્યારે અમુક શબ્દમાંથી, વાચ્યાર્થની પ્રતીતિની પછી રણકારની જેમ બીજા અર્થની પ્રતીતિ પણ થાય, ત્યારે શબ્દશક્તિમૂલ ધ્વનિ કહેવાય છે. પણ અહીં શંકા એવી રહે છે કે શબ્દશક્તિથી બે અર્થોની પ્રતીતિ શ્લેષ અલંકારમાં પણ થાય છે એમ જણાવતા શ્રી ભટ્ટ ઉદનો મત રજુ કરીને આનંદવર્ધને તેનું ખંડન કર્યું છે. શબ્દશક્તિ મૂલ ધ્વનિ શ્લેષ માટે કોઈ અવકાશ જ રહેવા દેતો નથી. “કૃષશ્ય વિષયઃ અપહૃતઃ સ્થાત્ એમ ભટ્ટ ઉભટનું માનવું છે. આનંદવર્ધન મુજબ શબ્દશક્તિમૂલ ધ્વનિ તથા શ્લેષ (અલંકાર) બન્નેનાં ક્ષેત્રો ભિન્ન ભિન્ન છે. તેઓ આ કારિકામાં કહે છે
“બક્ષિણ વાત શીત્યા પ્રશ્નો |
ત્રિનુ: બ્રેન રદ્યુ મવો દિ : II (દ્ધ. ૨/૨૧.) શબ્દ દ્વારા નહીં કહેવાયેલ પણ શબ્દ-શક્તિની દ્વારા સૂચવાયેલ અલંકાર પ્રકાશિત થાય છે તે શબ્દશકયુદ્ભવ ધ્વનિ કહેવાય છે. વૃત્તિભાગમાં પણ આજ વાત સુસ્પષ્ટ કરી છે. “યસ્પવિતો, ન વસ્તુમાત્ર નિ વચ્ચે શબ્દાવત્યા પ્રારાતે, સ શકયુમવો ધ્વનિ. તિ સમાવિ વિવણિતમ્ | જેનાથી અલંકાર જ, વસ્તુમાત્ર નહીં, કાવ્યમાં શબ્દશક્તિથી પ્રકાશિત થાય છે તે શબ્દશત્યુદ્ભવ ધ્વનિ હોય છે.
જ્યારે વસ્તુ દ્રવંત્યાકામને શ્રેષઃ | જ્યાં બન્ને વસ્તુઓ શબ્દશક્તિથી પ્રકાશિત થાય છે ત્યાં શ્લેષ હોય છે.
આનંદવર્ધને શ્લેષનું ઉદા. વેન ધ્વસ્ત મનોમવે. ઈ. શ્લોકમાં આપ્યું છે જેનો એક અર્થ વિષ્ણુને, બીજો શિવને લાગુ પડે છે. વધુ સ્પષ્ટતા કરતાં વૃત્તિમાં કહ્યું છે, “જ્યાં શબ્દશક્તિથી સાક્ષાત્ વાટ્યરૂપમાં બીજા અલંકારની પ્રતીતિ થાય છે તે બધા શ્લેષના વિષયો છે અને જ્યાં શબ્દશક્તિના બળથી આક્ષિપ્ત-સુચવાયેલ-વાચ્યાર્થથી ભિન્ન, વ્યંગ્યરૂપથી જ બીજા અલંકારોની પ્રતીતિ થાય છે તે ધ્વનિનો વિષય છે.
શ્લેષનો વિષય બનતા વાચ્યરૂપમાં પ્રતીત થતા બીજા અલંકારોમાં વિરોધ, વ્યતિરેક, રૂપક ઈ.નાં ઉદા. આનંદવર્ધને આપ્યાં છે. પણ, “યત્ર તુ સામથ્થાં સવારન્તિર શબ્દશીત્યા પ્રતિ સ સર્વ શવ ધ્વને વિષયઃ | જ્યાં સામર્થ્ય દ્વારા આક્ષિત થઈને બીજો અલંકાર શબ્દશક્તિ દ્વારા પ્રકાશિત થઈ રહ્યો હોય તે બધા ધ્વનિનો વિષય બને છે. જેનું ઉદા. બાણના હર્ષચરિત ઉ–રના ગ્રીષ્મના વર્ણનમાંથી આપવામાં આવેલ છે.
મત્રાન્તરે કુસુમ..મહાતઃ ” જેમાં એક અર્થ ગ્રીષ્મને અનુલક્ષીને થાય છે પણ પછી બીજો મહાકાલ શિવવાળો અર્થ ડોબ્ધિ કરે છે.