SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ દવન્યાલોક જ્યાં અલંકારવાચ્ય ન હોય પણ શબ્દના સામર્થ્યથી વ્યંગ્ય હોય ત્યાં શબ્દશક્તિમૂલ ધ્વનિનો વિષય છે. જ્યાં બે વસ્તુ યા બે અલંકાર વાચ્ય હોય ત્યાં શ્લેષનો વિષય હોય છે. બધી ભાષાઓમાં કેટલાક શબ્દો અને કાર્યક હોય છે. પરંતુ તેઓ મોટેભાગે સંદર્ભ વગેરેને લીધે એકજ અર્થનો બોધ કરાવે છે, અનેક અર્થનો નહીં. સંસ્કૃત સાહિત્યશાસ્ત્રમાં અનેકાર્થક શબ્દના એકાર્યમાં નિયત્રણના કેટલાક વિશેષહેતુ માનવામાં આવ્યા છે. ભર્તૃહરિના- “વાક્યપદીય’માં આપવામાં આવેલી બે કારિકાઓ- “સંયોગો વિપ્રયાશ...વિશેષમૃતિ હેતવા” ને મમ્મટ વગેરે ઘણા આલંકારિકોએ સ્વીકારી લીધી છે. જ્યારે વક્તાનું તાત્પર્ય એક અર્થમાં નિયત્રિત થઈ જાય છે ત્યારે બીજા અર્થમાં અભિધાશક્તિ પ્રસાર પામી શક્તી નથી. એવી સ્થિતિમાં બીજો અર્થ વ્યંજના વૃત્તિથી જ નીકળે છે. તે વાચ્ય તથા વ્યંગ્ય અર્થોમાં સોદશ્ય ઇત્યાદિ સંબંધ પણ વ્યંગ્ય જ હોય છે. શબ્દશક્તિમૂલ સંલક્ષ્યક્રમ વ્યંગ્ય ધ્વનિમાં ઉપમા ઉપરાંત બીજા અલંકાર પણ હોઈ શકે છે. બાણના હર્ષચરિતમાં સ્થાવીશ્વરની પ્રમઠાઓના વર્ણન (યત્ર માતામિ. ઈ. ) વાળું ઉદા. શબ્દશક્તિમૂલ વિરોધાભાસ અલંકાર ધ્વનિનું છે. એ રીતે વ્યતિરેક અલંકાર આ ધ્વનિ પ્રકારમાં કેવી રીતે હોઈ શકે તે “વું કે ડત્યુષ્યતન્તિ... ઈ. શ્લોક દ્વારા દર્શાવ્યું છે. ધ્વનિના ત્રણ ભેદ વસ્તુધ્વનિ, અલંકારધ્વનિ અને રસાદિધ્વનિ પણ છે. આ ત્રણ જાણીતા ધ્વનિ ભેદોમાંથી શબ્દશક્તિમૂલ ધ્વનિ પ્રકારમાં અલંકારધ્વનિ અને વસ્તુધ્વનિ બન્નેને સમજવાના છે. અર્થશક્તિશૂલધ્વનિ : અર્થશકત્યુભવ નામનો સંલક્ષ્યમવ્યંગ્ય ધ્વનિનો બીજો ભેદ તે છે જ્યાં એવો અર્થ અભિધાથી પ્રતીત થાય છે, જે શબ્દ વ્યાપાર વિના ધ્વનન વ્યાપારથી સ્વતઃ જ તાત્પર્યવિષયભૂતરૂપથી અર્થાન્તરને અભિવ્યક્ત કરે. अर्थशक्त्युद्भवस्त्वन्यो यत्रार्थः सः प्रकाशते । । તાત્પર્યેા વસ્ત્રચત્ વ્યવસ્યુ િવિના સ્વતઃ | (દ્ધ. ૨/૨૨) આમ આનંદવર્ધને અર્થશકત્યુદ્ભવની વ્યાખ્યા આપી છે. અહીં તાત્પર્ય શબ્દ, તાત્પર્યવૃત્તિને માટે નહીં પણ ધ્વનન વ્યાપાર માટે સમજવાનો છે. જ્યાં વાચ્યાર્થ, શબ્દ વ્યાપાર વિના પોતાના ધ્વનન સામર્થ્યથી બીજા અર્થને અભિવ્યક્ત કરે છે તે અર્થશયુદ્ભવ સંલક્ષ્યક્રમ વ્યંગ્ય નામનો ધ્વનિ છે. ઉદા. “વં વારિરિ રેવ... ઈ.' આ શ્લોકમાં કડાકમળની પાંખડીઓ ગણવાનું ગૌણ થઈને કોઈ બીજી શબ્દવૃત્તિની અપેક્ષા રાખ્યા સિવાય પાર્વતીની લજજારૂપ બીજા અર્થની અભિવ્યક્તિ થઈ છે. ત્યારપછીના વૃત્તિભાગમાં આનંદવર્ધન સૂચવે છે કે જો કે રસાદિ સદા વ્યંગ્ય
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy