________________
- વન્યાલોક (१) पर्वतो वह्निमान् (२) धूमात् (३) यत्र यत्र धूमः तत्र तत्र वह्निः यथा महानसे (૪) તથા ૨ ચમ્ (૧) તHIC તથ - -
જેમાં અનુમાન કરવામાં આવે છે તે પક્ષ (જેમકે પર્વત) કહેવાય છે. જેનું અનુમાન કરવામાં આવે તે ‘સાધ્ય’ (જેમકે વનિ)યાને ‘લિંગી' કહેવાય છે. જેને લીધે-જે કારણે પક્ષમાં સાધ્યનું અનુમાન કરવામાં આવે છે તેને સાધન (જેમકે ધૂમ) યાને લિંગ કહેવાય છે. મહાનસ-રસોડું -સપક્ષ છે. 'વ્યતિરેક વ્યાપ્તિમાં મહાદૂધ-જળાશય-વિપક્ષ છે. જ્યાં જ્યાં ધૂમ ત્યાં ત્યાં અગ્નિ જેમકે રસોડામાં-તે વ્યાતિ વાક્ય છે.
શબ્દમાં વ્યંજત્વ હોવું કે નહોવું એનો આધાર વાપરનારની ઇચ્છા ઉપર છે, એટલે શબ્દની બાબતમાં એ અનિયત છે, પણ જે શબ્દ વ્યંજક તરીકે વપરાયો હોય, તેની બાબતમાં તો એ વ્યંજત્વ પોતાનું કામ કરે છે જ.
આપણે ધૂમ અનેકવાર જોઈએ પણ દરેક પ્રસંગે એ લિંગ તરીકે કામ કરતો નથી હોતો. જ્યારે આપણે અનુમાન કરવાની ઇચ્છા કરીએ છીએ ત્યારે ધુમાડો લિંગ બને છે. તે સિવાય એનામાં અગ્નિનું અનુમાન કરાવવાની શક્તિ હોવા છતાં એ પ્રગટ થતી નથી. એ પ્રગટ થવાનો આધાર એને જોનારની ઇચ્છા ઉપર છે. શબ્દમાં વ્યંજક બનવાની શક્તિ તો હોય છે, પણ તેનો આધાર ઉપાધિઓ ઉપર છે. એ રીતે વ્યંજક શબ્દને વ્યંગ્ય અર્થનો બોધ કરાવવાને માટે પ્રકરણાદિ વૈશિષ્ટયરૂપ સામગ્રીની સહાયતા જરૂરી છે. આલોકકારે અહીં કેવળ ઈચ્છાધીનત્વને જ લિંગ–ન્યાયનું પ્રવર્તક માનેલ છે. (ii) સર્વાિિમતિશેષ્યમિત્યપર્યત્ન: માર: |
આ ભાગ સમજાવતાં લોચનકાર કહે છે કે એ વ્યંજના કોઈવાર, વક્તાના અભિપ્રાયની બાબતમાં બને છે તેમ, અનુમાનરૂપે, તો કોઈવાર દીપની બાબતમાં બને છે તેમ, પ્રત્યક્ષ વ્યંજકરૂપે, તો કોઈ ગીત ધ્વનિની પેઠે રસાદિના કારણરૂપે, કોઈવાર વિવક્ષિતવાચ્ય ધ્વનિ પેઠે, અભિધાના સહકારમાં, તો કોઈવાર અવિવક્ષિતવાચ્યધ્વનિની પેઠે લક્ષણાના સહકારમાં, એમ વિવિધ પ્રકારે જોવા મળે છે. એ કોઈ વાર વાચક શબ્દો દ્વારા તો કોઈવાર અવાચક શબ્દ દ્વારા પણ પ્રગટ થાય છે.” નગીનદાસ પારેખ (પૃ. ૨૮૮) | (iv) વિમતિવિષય ... ઈ. શ્લોક કેટલીક પ્રતોમાં કારિકા-૩૪ તરીકે છે તો કેટલીક પ્રતોમાં કા-૩૩ના અંતે ઉધૃત કરાયેલ, પરિકર શ્લોકની જેમ, જોવા મળે છે.
કારિકા૩૪,૩૫ અને વૃત્તિ (i) હવે આનંદવર્ધન ‘ગુણીભૂત વ્યંગ્ય કાવ્યનું નિરૂપણ કરે છે. જ્યાં વ્યંગ્ય અર્થ કરતાં વાચ્ય અર્થ વધુ ચમત્કારી હોય તે (કાવ્ય)ને ‘ગુણીભૂતવ્યંગ્ય કહે છે.