________________
૩૩૨
- વિન્યાલોક ‘અવિવક્ષિતવાચ્ય ધ્વનિના પ્રકારોમાં ભક્તિનું અસ્તિત્વ સ્વીકારાયું છે, પણ તેથી ધ્વનિવાદીઓની સ્થિતિમાં, આવા સ્વીકારથી, ફેર પડતો નથી. આમ છેલ્લી હદ સુધી દલીલ કરવામાં આવે તો તે અલંકારને પણ લાગુ પડે છે.
(i) એડપિ સહય... ઈ. અહીં વૃત્તિમાં ધ્વનિવિરોધી ત્રીજા પક્ષ-અલક્ષણીયતા યા અનિર્વચનીયતા-વાદનું ખંડન છે. કારિકા-૧૩થી ૧૯ સુધી લેખકે અભાવવાદી અને ભાક્તવાદીઓના ત્રણ ત્રણ વિકલ્પોનું ખંડન કર્યું છે. કા-૧૩માં (ચત્રાર્થ શબ્દો વા... ઈ.) ધ્વનિનું સામાન્ય લક્ષણે કહી દઈને ધ્વનિ અનાગ્યેય, અલક્ષણીય યા અનિર્વચનીય છે, એવા વિચારનું નિરાકરણ આનંદવર્ધને કર્યું છે. તેથી અલક્ષણીયતાવાદના ખંડન માટે જુદી કારિકા લખી નથી. પણ અહીં વૃત્તિમાં ખંડન કરવામાં આવ્યું છે.
દ્વિતીય ઉદ્યોત કારિકા-૧
૧.૧ (i) ધ્વન્યાલોક'ના કારિકાકાર અને વૃત્તિકાર એક છે કે જુદા એવો, ગ્રંથકર્તુત્વ અંગે, વિવાદ છે. પ્રથમ ઉદ્યોત તા-૧૩ પરની વૃત્તિમાં (૧૩.૧૧) ધ્વનિના બે પ્રકાર દર્શાવ્યા છે. એ વૃત્તિભાગનો નિર્દેશ અહીં કારિકા (૨.૧)માં થયો છે અને “અવિવક્ષિતવાચ્ય’ના બે પ્રકારો દર્શાવ્યા છે. આ ગ્રંથની કારિકા અને વૃત્તિના લેખક એક જ છે એમ સિદ્ધ કરે છે.
(ii) “અવિવક્ષિતવાચ્ય’ અને ‘વિવક્ષિતા પરવાચ્ય એ બે પ્રકારોમાં વાચ્ય શબ્દ હોવાથી કોઈના મનમાં એવી શંકા થાય કે આ બે પ્રકારો વાચ્યના છે, ધ્વનિના નહીં. આનંદવર્ધન આલોકમાં-વૃત્તિમાં, (ાવમવિક્ષિત... ઈ. ધ્વનિર્દિપ્રજા.) કહે છે કે આ બે પ્રકારો ધ્વનિના જ છે. આ પ્રકારોને લીધે જે અર્થ બહાર આવે છે તે વાચ્યાર્થ નથી પણ વ્યંગ્યાર્થ છે. વાચ્યની વિરક્ષા અને અવિવાની બાબતમાં આ બંનેમાં સ્પષ્ટ વિરોધ છે. અવિવક્ષિતવાચ્યના બે પેટાપ્રકાર બતાવ્યા છે. અર્થાન્તરસંક્રમિતવાચ્ય” એટલે “જેમાં વાચ્ય અર્થનું બીજા અર્થમાં સંક્રમણ કરાવવામાં આવ્યું છે તેવો.” “અત્યંત તિરસ્કૃત વાચ્ય' એટલે “જેમાં વાચ્યાર્થનો અત્યંત તિરસ્કાર કરવામાં આવ્યો હોય, તેને બિલકુલ ઢાંકી દેવામાં કે છોડી દેવામાં આવ્યો છે તેવો.
(ii) અવિવક્ષિતવાચ્ય ધ્વનિ લક્ષણામૂલ છે. મમ્મટ કાવ્યપ્રકાશમાં તક્ષણ તેને વિધા' સમજાવતાં શુદ્ધા લક્ષણાના બે પ્રકારો ઉપાદાન લક્ષણો અને લક્ષણ લક્ષણા સમજાવેલ છે. લક્ષણાના બધા પ્રકારોમાં મુખ્યાર્થબાધ, તદ્યોગ, પ્રયોજન (જો રૂઢિલક્ષણા હોય તો રૂઢિ) એ ત્રણ બાબતો હોવી જોઈએ. વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ વચ્ચે સાદય સંબંધ (ઘોગ) હોય તો ગૌણી (જેને મીમાંસકો અલગ વૃત્તિ