SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૪ - ધ્વન્યાલોક (૧) અપ્રસ્તુત સામાન્યથી પ્રસ્તુત વિશેષ વ્યંજિત થતું હોય (૨) અપ્રસ્તુત વિશેષથી પ્રસ્તુત સામાન્ય વ્યંજિત થતું હોય. (૩) અપ્રસ્તુત કારણથી પ્રસ્તુત કાર્ય વ્યંજિત થતું હોય (૪) અપ્રસ્તુત કાર્યથી પ્રસ્તુત કારણ વ્યંજિત થતું હોય. (૫) અપ્રસ્તુતથી તુલ્ય પ્રસ્તુત વ્યંજિત થતું હોય (i) સામાન્ય-વિશેષભાવ અને કાર્ય કારણભાવથી બનતી “અપ્રસ્તુત પ્રશંસા માં પ્રસ્તુત અને ‘અપ્રસ્તુત બન્નેનું સરખું પ્રાધાન્ય હોવાથી ધ્વનિ'નો અવસર નથી. તેથી તેના અંતર્ભાવજે સવાલ જ નથી. સાદશ્યમૂલક ભેદમાં જો અભિધીયમાન (=વાચ્ય) અપ્રસ્તુતનું ગૌહત્વ હોય અને પ્રતીયમાન (=વ્યંગ્ય) પ્રસ્તુતનું પ્રાધાન્ય વિવક્ષિત હોય તો “અપ્રસ્તુતપ્રશંસા અલંકાર’નો ધ્વનિમાં સમાવેશ થઈ જશે નહીંતર અપ્રસ્તુત વાચ્યનું પ્રાધાન્ય વિવક્ષિત હોય તો ‘અપ્રસ્તુતપ્રશંસા અલંકાર રહેશે. (iv) નીચેના ઉદાહરણમાં વ્યંગ્ય પ્રસ્તુત, વાચ્ય અપ્રસ્તુતની અપેક્ષાએ વધુ ચમત્કારી છે તેથી તે વસ્તુધ્વનિનું ઉદાહરણ છે, અલંકારનું નહીં. “માવગ્રાતિ દૃષ્ણનસ્ય...'' ઈ. અર્થાત્ “હે પદાર્થ સમૂહ (સમગ્ર વિશ્વસૌદર્યના નિધિ આ પ્રાકૃતિક જગતના ચંદ્ર વગેરે પદાર્થો), તું વિવિધ પ્રકારે તારા આંતરિક રહસ્યને છુપાવે છે અને લોકોનાં હૃદ્યોને હઠપૂર્વક આકર્ષી તેમને નચાવતો કીડા કરે છે. એ લોકો તને જડ માની લઈને ગર્વથી ફુલાય છે. એમને જો જડ કહીએ એથી તારી સાથેનું સામ્ય સમજાય અને તે તો એમને માટે સ્તુતિરૂપ થાય.' આ શ્લોકમાં કોઈ મહાપુરુષનું લોકોત્તર ચરિત પ્રસ્તુત રૂપમાં પ્રતીત થાય છે. જેમકે કોઈ વીતરાગ મહાપુરુષ પોતાના વિવેકના પ્રકાશથી અજ્ઞાનના તિમિરનો નાશ કરી દે છે, તો પણ પોતાની મહાનતા ને છુપાવી રાખે છે. લોકો તેને “મૂર્ખ કહ્યા કરે છે અને તેની અવજ્ઞા કરે છે. અહીં પ્રસ્તુત વ્યંગ્ય અર્થ અપ્રસ્તુત વાચ્યથી નિશ્ચિત રીતે ચમત્કારકારી છે. કેમકે અપ્રસ્તુત વાચ્ય અચેતન “ભાવવાત’ – પદાર્થસમૂહ-ને કહેવાને કારણે ગુણીભૂત-ગૌણ-થઈ જાય છે. આમ વાચ્યનો ગુણીભાવ અને વ્યંગ્યનો પ્રધાનભાવ હોવાથી અહીં વસ્તુ ધ્વનિ છે, અપ્રસ્તુતપ્રશંસા અલંકાર નથી. ૧૩.૯ (i) આ ત્રણે કારિકા જેવા લાગતા શ્લોકો, સંગ્રહ શ્લોક કે પરિકર શ્લોક છે. તેથી તેના પર વૃત્તિ પણ નથી. નિર્ણયસાગરની આવૃત્તિમાં તથા દીધિતિ ટીકામાં તેના પર ૧૪,૧૫,૧૬ એમ કારિકા-સંખ્યા લખી છે તે બરાબર લાગતું નથી. | (ii) સંભજ્જિતઃ | સંકર રહિત. અહીં ફક્ત સંકર અલંકાર રહિત એવો અર્થ નથી. સમાસોક્તિ વગેરે અલંકારો પણ સમજવાના છે. આ અલંકારોમાં ધ્વનિના સંકર અર્થાત્ અનુપ્રવેશની સંભાવના નથી (i) સમાસવાય | લોચનકાર વ્યાજસ્તુતિ’ અને ‘ભાવ' નામના બીજા બે અલંકારોની પણ અહીં ચર્ચા કરે છે. (સમાસોક્તિ વગેરે સાત અલંકારો ઉપરાંત).
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy