SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ અભ્યાસ નોધ (ઉ. ૧/૧૩) ૩૨૧ ઉદા. નમસ્તસ્મૈ ત યેન મુધા રાહુલપૂવૌ। વિષ્ણુને નમસ્કાર એમ કહેવાને બદલે ‘જેમણે રાહુની પત્નીના સ્તન નકામા બનાવ્યા તે (દેવ)ને નમસ્કાર' (કુવલયાનંદ) (ii) મામદોવાદતસવૃશે૦- આનંદવર્ધને અહીં પુરોગામી આલંકારિક, કાવ્યાલંકારના લેખક ભામહને ઉદ્ધૃત કરેલ છે. ભામહે ‘પર્યાયોક્ત'નું ઉદાહરણ નીચે મુજબ આપ્યું છે. "गृहेष्वध्वसु वा नान्नं भुञ्जमहे यदधीतिनः । વિધ્રા ન મુન્નતે તત્ત્વ રસવાનનિવૃત્તયે । કાવ્યાલંકાર- ૩ / ૯ અર્થાત્- ‘જે અન્ન વેદાભ્યાસી બ્રાહ્મણો એ ન ખાધું હોય તે અમે ઘરમાં કે માર્ગમાં ખાતા નથી.'' શ્રીકૃષ્ણ શિશુપાલને આ શ્લોક કહે છે. ઘેર કે પ્રવાસમાં અમે વિદ્વાન બ્રાહ્મણને જમાડયા પછી જમીએ છીએ. અહીં વિષદાન નિવૃત્તિ- ખોરાકમાં ઝેર ન નાખ્યું હોય તે-વ્યંગ્ય છે. રસ= વિષ. ભામહે આપેલા આ ઉદાહરણમાં ‘રસદાનનિવૃત્તિ’ વ્યંગ્ય છે પણ તેનાથી કોઈ ચારુત્વ આવતું નથી. તેથી તેનું પ્રાધાન્ય નથી. પણ બ્રાહ્મણોને જમાડયા વિના ન જ મવું એ વાચ્યાર્થ છે તે પર્યાયથી જુદી રીતે-કહ્યો છે. તેથી આ ‘પર્યાયોક્ત’નું ઉદા. બને છે. ‘પર્યાયોક્ત’ અલંકારમાં એવું ઉદાહરણ હોઈ શકે છે જ્યાં વ્યંગ્યનું પ્રાધાન્ય હોય. તે ધ્વનિ કાવ્યના બીજા ભેદ ‘અલંકારધ્વનિ’નું ઉદા. કહેવાશે. પણ તેનો અર્થ એવો નથી કે ધ્વનિનો અલંકારોમાં સમાવેશ થાય છે. ધ્વનિ મહાવિષય છે, વ્યાપક છે, ‘પર્યાયોક્ત’ના વ્યયપ્રધાન ઉદાહરણો સિવાય બીજે પણ હોય છે. (iii) અપદ્ઘતિ ટીપાયો... ઈ. અગાઉ આ અલંકારોમાં ‘ઉપમા’ની પ્રતીતિ થતી હોવા છતાં તેની દ્વારા ચારુત્વ નહીં હોવાથી ‘ઉપમા’ અલંકારનો ત્યાં વ્યવહાર કરાતો નથી એમ કહ્યું છે. સાત અલંકારો ગણાવ્યા તેનો ક્રમ જાળવીને ‘પર્યાયોક્ત’ પછી નિર્દેશ હોવાથી એ બે અલંકારોનો અહીં ફરી ઉલ્લેખ કરી તેમાં વ્યયનું પ્રધાન્ય નથી તે બતાવ્યું છે. ૧૩.૭ (i) સંકર અલંકાર-ભામહ વગેરે દ્વારા તેના ચાર પ્રકાર માનવામાં આવે છે. (૧) સંદેહ સંકર-લક્ષણ विरुद्धाङ्क्रियोल्लेखे समं तद् वृत्त्यसम्भवे । एकस्य च ग्रहे न्यायदोषाभावे च सङ्करः ॥ ઉદા. શિવવનાઽસિતસરક્ષિજ્ઞનયના... ઈ. અર્થાત્ ચંદ્રમુખી, નીલકમલનયની અને શુભ્રકુસુમાંતી આ નાયિકાને વિધાતાએ આકાશ, જલ અને સ્પલમાંથી ઉત્પન્ન થતા મનોહર આકારવાળી બનાવી છે.
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy