________________
૩ ૦૪
- વન્યાલોક (i) મના પૃષ્ઠ શ્રી નગીનદાસ પારેખ કહે છે તેમ “અહીં અમુખ્યવૃત્તિ તરીકે ધ્વનિમાર્ગને સહેજ સ્પર્શ ક્યનું કહ્યું છે તે એટલા માટે કે ભામહે (૧-૯) કાવ્યના હેતુઓ ગણાવતાં ‘શબ્દ’ અને ‘અભિધાનને અલગ અલગ ગણાવેલા છે અને એની સમજૂતી આપતાં ઉદ્ભટે કહેલું છે કે “અભિધાન’ એટલે અભિધા વ્યાપાર અને તે બે પ્રકારનો હોય છે. મુખ્ય અને ગુણવૃત્તિ.
વામને પણ કહ્યું છે કે સાદશ્યથી થનારી લક્ષણાને વક્રોક્તિ કહે છે. આમ ભામહે “અભિધાન’ શબ્દથી, ઉદ્દ “ગુણવૃત્તિ’ શબ્દથી અને વામને ‘લક્ષણા શબ્દથી ધ્વનિ તત્ત્વનો સહેજ નિર્દેશ કરેલો છે, પણ તેને કોઈએ ખાસ લક્ષમાં લીધો નથી.” (પૃ. ૮)
(iv) શ્રી ડોલરરાય માંકડ મુજબ, “આ મત પ્રમાણે ધ્વનિ છે તો ખરો, પણ તે હંમેશ ગૌણ રહે છે. વાચ્યાર્થ જ કાવ્યમાં મુખ્ય છે.” (પૃ. ૨૧૪)
૧૬ (i) તીનવૃદ્ધય= અપ્રગલ્પબુદ્ધિવાળા, અપક્વબુદ્ધિવાળા, સુકુમાર બુદ્ધિવાળા.
(i) મામ્ ગોવરમ્ ! વાણીથી પર, અગોચર, આ અનિર્વચનીયવાદી યાને અશક્ય વક્તવ્યતાવાદીઓના મતને સ્પષ્ટ કરવા ડો. રામસાગર ત્રિપાઠીએ એક સુંદર બ્લોક ‘તારાવતી’ ટીકામાં ઉધૃત કર્યો છે: (પૃ. ૨૪) -
कवेरभिप्रायमशब्दगोचरं, स्फुरन्तमार्टेषु पदेषु केवलम् ।
वदद्भिरङ्गैः स्फुटरोमविक्रियैर्जनस्य तूष्णीं भवतोऽयमञ्जलिः॥ (ii) વિધાકુ વિમતિપુ સ્થિત, આવો મતભેદ હોવાને કારણે. ધ્વન્યાલોક'ની વૃત્તિમાં ધ્વનિવિરોધી પાંચ મતોનો આનંદવર્ધને ઉલ્લેખ કર્યો છે. (૧) અભાવવાદી પહેલા પ્રકારના (૨) અભાવવાદી-બીજા વિકલ્પ પ્રમાણેના (૩) અભાવવાદી-ત્રીજા વિકલ્પ પ્રમાણે અભાવ માનનારા, (૪) ભાતવાદીઓ (૫) અનિર્વચનીયવાદીઓ હવે પછીથી લક્ષણાવાદીઓના પણ ત્રણ વિલ્પો સમજાવવામાં આવનાર છે. તેથી કુલ સાત મત તેમણે આપ્યા છે. શ્રી નગીનદાસ પારેખ, ધ્વનિનો વિરોધ કરનારા એકંદરે બાર મતો ટ્યક નામના આલંકારિકના ગ્રંથ પરથી પોતાની ટીકામાં જ્યારથે આપ્યા છે એમ કહીને નીચેના બાર મતનો આ પ્રમાણે ઉલ્લેખ કરે છે. (પૃ. ૯)
(ક) ધ્વનિ કે વ્યંજના જેવો સ્વતંત્ર વ્યાપાર માનવાની જરૂર નથી. તેનો સમાવેશ ‘તાત્પર્ય’ શક્તિમાં થઈ જાય છે એમ માનનારા મીમાંસકો.
(ખ) “યત્વઃ શઃ શબ્દાર્થ' એમ સમજાવી અભિધામાં ધ્વનિનો સમાવેશ કરતા મીમાંસકો. (ગ) અને (ઘ) ધ્વનિનો સમાવેશ બીજી લક્ષણામાં અને વિશિષ્ટ લક્ષણામાં (અનુક્રમે) થાય છે એમ કહેનાર લક્ષણાવાદીઓ.