________________
| (હરિગીત છંદ) અપૂર્વ વસ્તુ જે રચે, વિસ્તારે પણ, કારણ વગર, પથ્થર સમા નીરસ જગતને, સારમય રસથી ભરે. પ્રતિભા અને અભિવ્યક્તિને પ્રસરાવી કરતું જે સુભગ, વાઝેવીનું એ તત્ત્વ, કવિ-ભાવક રૂપે વિજયી બને.
(લોચન” ના મંગલ ગ્લોનો ભાવાનુવાદ) નિયતિતણાં બંધન વિનાનું, શ્રેષ્ઠ આનંદ અર્પતું, અન્ય પર, પરતંત્ર નહીં જે, ઓપતું નવરસ થકી, નિર્માણ કવિતામાં કરી, કવિ-ભારતી જય પામતી. બ્રહ્મસૃષ્ટિથી વિલક્ષણ, ઉચ્ચતર કવિ-નિર્મિતિ.
(કાવ્યપ્રકાશ- ૧/૧નો ભાવાનુવાદ).
ગો. શ. શાહ